SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ લકવો (પેરેલિસિસ) - stroke શકાય કે ઓગાળી શકાય છે. વિશેષમાં જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રોક – લકવો થયાના ગણતરીના કલાકોમાં એજીઓપ્લાસ્ટી કરી સ્ટેન્ટ પણ મૂકી શકાય. થ્રોમ્બોલિસિસ સાથે મર્સિ, અથવા સ્ટેન્ટ - એમ બે પદ્ધતિઓ જોડી શકાય છે. લકવા વિશે આટલું વિસ્તૃત લખાણ જનજાગૃતિ માટે છે જેથી લકવાના દર્દીઓને સુયોગ્ય સારવાર તાત્કાલિક મળે અને શ્રેષ્ઠ પ્રકારની મળે તો આયુષ્ય લંબાય અને ઝડપી સંપૂર્ણ સુધારો થાય તો મારો આ નમ્ર પ્રયત્ન સફળ થશે. આપણા દેશમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓને લીધે આ પદ્ધતિ આપણા કેટલા લોકો સુધી પહોંચશે અને કેટલાને માટે ચમત્કારિક બચાવ થઈ શકશે તે તો આવનાર સમય જ કહી શકે, જોકે આપણા ડૉક્ટરોને હવે આના વિશે યોગ્ય માહિતી છે એમ કહી શકાય. અત્યાર સુધીનાં શોધાયેલાં આ બધાં ઔષધો ૬ કલાક પછી લકવાને રોકી શકતાં નથી, મટાડી શકતાં નથી, કેમ કે ત્યાં સુધીમાં લોહી અને ઑક્સિજનની ઊણપથી મગજના કેટલાય કોષો નાશ પામી ગયા હોય છે. (૨) ઍન્ટિથ્રોમ્બોટિક ઘેરપી : - આપણા દેશમાં આ ઘેરપી ખૂબ સરળતાથી ઉપલબ્ધ છે અને તેનો હેતુ લોહીની નળીમાં થયેલો ગઠ્ઠો આગળ બનતો - વધતો અટકાવવાનો છે, જેમાં હીપેરીન, લો મોલેક્યુલર હીપેરીન જેવી ઍન્ટિકોએગ્યુલન્ટ દવાઓ તથા એસ્પિરિન, ક્લોપીડોજેલ, ડાઈપાઈરીડેમોલ, એન્સાક્ષીમેબ જેવી એન્ટિપ્લેટલેટ ગ્રૂપની દવાઓ તથા ઍન્કોર્ડ જેવી ફાઇબ્રીનોલિટિક ગ્રૂપની દવાઓ વાપરવામાં આવે છે. આમ કરવાથી નુકસાન આગળ વધતું અટકે છે પણ તેની આડઅસર રૂપે ક્વચિત્ હેમરેજ પણ થઈ શકે, તેથી આ દવાઓનો યોગ્ય માત્રામાં, જરૂરી, નિયમિત કરાતા ટેસ્ટને આધારે ઉપયોગ કરવો જોઈએ. ટીક્લોપીડીન કે ક્લોપીડોજેલ દવાઓનો લકવાના શરૂઆતના કેસોમાં કોઈ ખાસ ઉપયોગ જણાયો નથી પરંતુ આ દવાઓ લકવો ફરીથી થતો અટકાવવામાં ચોક્કસપણે વિશેષ ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy