SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો ♦ મગજમાં અચાનક વિદ્યુત તરંગોનું અસંતુલન થવાથી શરીરમાં ઝાટકા આવે છે, જેને ખેંચ (તાણ) કહે છે. વિશ્વમાં લગભગ ૧ ટકા લોકોમાં (૫ કરોડથી પણ વધુ) આ રોગ વ્યાપ્ત છે. ૭૦થી ૭૫ ટકા દર્દીઓમાં આ બીમારી નાનપણથી હોય છે. ખેંચ વિવિધ પ્રકારની હોય છે, અને તેના પ્રકાર અનુસાર અલગ અલગ પ્રકારની દવા આપવામાં આવે છે. ♦ ખાસ કરીને સ્ત્રી દર્દીને ખેંચ છે કે હિસ્ટીરિયા (માનસિક રોગ) તેનો નિર્ણય તપાસ દ્વારા થઈ શકે છે. ♦ ખેંચ એક ન્યુરૉલોજીકલ બીમારી છે, જ્યારે હિસ્ટીરિયા એક માનસિક બિમારી છે. તેની જાણકારી દર્દીનાં પરિવારજનોને હોવી જોઈએ. ખેંચની દવા ડૉક્ટરની સૂચના પ્રમાણે મુખ્યત્વે બે અથવા ત્રણ વર્ષ અથવા વધારે સમય સુધી લેવી પડે છે. દવાની આડઅસર થાય અથવા તો સ્ત્રી દર્દીમાં ગર્ભાવસ્થા હોય તો ડૉકટરનું તરત ધ્યાન દોરવું જોઈએ. કારણ કે આવી પરિસ્થિતિમાં દવા બદલવી પડે છે. ખેંચના કેટલાક હઠીલા કેસોમાં ઓપરેશન દ્વારા પણ સારી રીતે સારવાર થઈ શકે છે. ♦ નવી-નવી દવાઓ, સર્જરી, નવા સંશોધનોની ઝડપી ગતિથી ખેંચનાં દર્દીઓનું ભવિષ્ય આશાસ્પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy