SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ વાઈ, આંચકી, ખેંચ (એપિલેપ્સી) (૩) વાઈ વારસાગત છે. વાઈ સામાન્યતઃ વારસાગત નથી પરંતુ માતા-પિતા બેમાંથી કોઈને પણ વાઈ હોય તો અલ્પ પ્રમાણમાં બાળકને વાઈ થવાની શક્યતા વધી શકે. (૪) વાઈના દર્દી માટે ટૉનિક સારાં - આ એક ગેરમાર્ગે દોરનારી માન્યતા છે. (૫) વાઈ કાયમને માટેનો રોગ છે. ના એમ નથી. ૭૦થી ૭૫% કેસમાં દવા લેવાથી ૧૦૦% રાહત થાય છે. કેટલાકને જિંદગીમાં એક જ વાર ખેંચ આવે છે. એપિલેપ્ટિક દર્દીઓ સાવ નોર્મલ છે. તેમના પ્રત્યે અણગમાની કે તિરસ્કારની ભાવના રાખવી જોઈએ નહીં તેમ જ આ દર્દી ખોડખાંપણયુક્ત છે તેમ માનવું જોઈએ નહીં. આવા દર્દીઓએ રોગ કાબૂમાં આવ્યા પછી અમુક વર્ષ સુધી ડ્રાઇવિંગ ન કરવું, સ્વિમિંગ ન કરવું અને અગ્નિથી દૂર રહેવું જોઈએ. જુલિયસ સિઝર, નેપોલિયન, આફ્રેડ નોબેલ, વિન્સેન્ટ વાન ગૉગ, જહોન્ટી ર્હોટ્સ જેવા વિખ્યાત માણસો વાઈની તકલીફ ધરાવતા હતા, છતાંય તેઓ તેમના ક્ષેત્રમાં સફળ થઈ શક્યા. આમ સામાજિક અને વ્યવસાયિક વગેરે પ્રવૃત્તિઓમાં મહાનતા મેળવવા વાઈની તકલીફ બંધનરૂપ થતી નથી. ખેંચના દર્દીની સર્વાગી મદદ માટે, ઇન્ડિયન એપિલેપ્સી એસોસીએશનની શાખા અમદાવાદમાં ચાલે છે, જેમાં રોગની માહિતી, આર્થિક સવલત, સમૂહ-કાર્યક્રમો વગેરે રાખવામાં આવે છે. દર્દી તથા સ્વજનોને માનસિક સાંત્વના મળે અને સમાજમાં તેમને સ્વીકૃતિ મળે તેવી પ્રવૃત્તિઓ નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન એપિલેપ્સી સોસાયટી તથા ઇન્ડિયન એપિલેપ્સી એસોસીએશનની શાખા જેવી આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી સંસ્થાઓ પણ ઘણી સક્રિય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy