SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૩ મૂછ (કોમા) (૫) શરીરમાં ડિહાઇડ્રેશન થયું હોય તો નસમાં (.V) પ્રવાહી આપવામાં આવે છે અથવા તો ઍસિડ-બેઇઝ સંતુલન બગડ્યું હોય તો તેની સારવાર સઘન રીતે કરવામાં આવે છે. પૂરતી કેલરીવાળો ખોરાક આપી પોષણ સંતુલિત કરવામાં આવે છે. (૬) યકૃત, કિડની વગેરે જે તે અંગો બગડવાથી કોમા થયો હોય તો એની અથવા ડાયાબિટીસ અને થાઇરોઇડ વગેરેની ગરબડ હોય તો તેની તત્કાળ સારવાર કરવામાં આવે છે, જેમકે વાયરસથી યકૃત અચાનક બગડી ગયું હોય (Acute liver failure) તો અન્ય સારવારની સાથેસાથે એન-એસિટાઈલ સિસ્ટિન અને મેનિટોલ આપી શકાય છે. જો યકૃત દારૂ પીવાના કારણે ધીરેધીરે બગડ્યું હોય (Chronic liver failure) તો એલ-ઓર્નિથિન એલ-એસ્પાર્કેટ (Heparmerz) અપાય છે. બંને પ્રકારની ખરાબીમાં લેક્ટયૂલોઝ એનિમા અપાય છે. બાદમાં દર્દીની પરિસ્થિતિ સુધરી હોય ત્યારે યોગ્ય કેસમાં લિવર પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટનો વિચાર પણ કરી શકાય છે. (૭) ખેંચ આવતી હોય કે સોડિયમ વગેરે દ્રવ્યો ઘટી ગયાં હોય તો તેની દવા તાત્કાલિક આપી સારવાર શરૂ કરવામાં આવે છે. (૮) મગજમાં સોજો હોય તેવું કોમાના દર્દીઓમાં ઘણીવાર બને છે, ખાસ કરીને બ્રેઈન હેમરેજ કે વાઈરસના કે મગજના ચેપી ઇન્ફકશનના કેસમાં પેશન્ટની મેડીકલ તપાસ કે મગજના સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ.માં તેની ખબર પડે. આવા કેસમાં દર્દીને યોગ્ય સ્થિતિમાં (૩૦° માથું ઊંચું) સૂવાડવો જોઈએ (જો BP ઓછું હોય તો તેમને કરાય). દવાઓમાં Inj. Mannitor, Lasix તથા અન્ય દવાઓ સોજો ઉતારવામાં મદદરૂપ થાય. કોઈવાર ન્યૂરો સર્જનની મદદ લઈ સુયોગ્ય ઓપરેશન (હેમીકેનીએક્ટમી) દ્વારા જિંદગી બચાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy