SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો કોમાના દર્દીની સારવાર સંપૂર્ણ કાળજીથી, પદ્ધતિસર (સિસ્ટેમેટિક) કરવામાં આવે છે. આ માટે દર્દીના તબીબી ઇતિહાસ-હિસ્ટ્રી, પલ્સ(નાડી), શારીરિક ઉષ્ણતામાન, શ્વાસ, આંખની તપાસ અને ચેતાતંત્રની તપાસ કરીને શરીર તથા મગજનાં કેટલાંક ખાસ પરીક્ષણો – ટેસ્ટ કરાવવામ આવે છે. આ માટે લોહીની વિવિધ પ્રકારની તપાસ, એમ.આર.આઈ.. સી.ટી. સ્કેન, ઈ.ઈ.જી. અને જરૂર પડ્યે કમરમાંથી પાણી પણ લેવામ આવે છે. દર્દી કોમામાંથી જ્યારે ક્યારેક બ્રેઇનડેથ (ગ્લાસગો કોમા સ્કેલ ૩)ની પરિસ્થિતિમાં આવે ત્યારે તે જાહેર કરતાં પહેલાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને તે માટે નક્કી થયેલાં ચોક્કસ ધારાધોરણોને આધારે જ બ્રેઇનડેથની પરિસ્થિતિ જાહેર કરાય છે. બ્રેઇનડેથ પછી ક્યારેય મગજની સતર્કતા પાછી આવતી નથી તેથી આવો દર્દી હૃદય બંધ પડવાથી મૃત્યુ પામે તે પહેલાં કિડની, યકૃત વગેરે અંગોનું દાન કરવાથી કોઈ અન્ય વ્યક્તિની જિંદગી બચાવી શકાય. ૩૨ સારવાર : કોમાની સા૨વા૨ના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે ઃ (૧) પરિસ્થિતિની ગંભીરતા મુજબ દર્દીને 1.c.ઇ.માં દાખલ કરી ઘનિષ્ઠ સારવાર શરૂ કરી દેવી. (૨) ઑક્સિજન,શ્વાસોચ્છ્વાસ, લોહીનું પરિભ્રમણ, બ્લડપ્રેશર જેવાં મહત્ત્વનાં કાર્યોને ઝડપથી રાબેતા મુજબનાં કરવાં. (૩) ત્વરિત કારણ ન ખબર પડે તેવા કોમામાં તરત જ ગ્લુકોઝ, B1 વિટામિન અને Nalorphine Injection પહેલાં આપવામાં આવેછે. (૪) લોહીના રિપોર્ટ દ્વારા તથા જરૂર પડે તો ઈ.ઈ.જી., સી.ટી.સ્કેન, લમ્બર પંક્ચર દ્વારા કોમાનું કારણ કારણો જાણી સાથોસાથ તે અંગેની સારવાર ઝડપથી શરૂ કરવામાં આવે છે, જેમ કે મગજનું ઇન્ફેક્શન હોય તો ઍન્ટિબાયૉટિક, ટી.બી.(ક્ષય)ની દવા, થ્રૉમ્બોસિસ હોય તો લોહી પાતળું કરવાની દવા વગેરે વાપરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy