SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૯) ઘણી વાર કોઈ ઝેરીલી દવાનું સેવન, ઊંઘની ગોળીઓનો વધારે પડતો ડોઝ કે પછી ઝેરી કેમિકલની આડઅસર પણ કોમાનું કારણ બની શકે છે. આ માટે રક્ત અને પેશાબમાં આ દવાઓનું પ્રમાણ (Toxic Drug Screening) જાણવું કોમાના તમામ અનિર્ણિત કેસોમાં ખૂબ જરૂરી બને છે. પેશન્ટને કોમામાં ધકેલતા સ્ટ્રક્ચરલ અને મેટાબોલિક પરિસ્થિતિકન્ડિશન વચ્ચે પણ ફરક છે. બ્રેઇન ટ્યૂમર, લકવા તેમ જ અકસ્માતને કારણે થતા બ્રેઇન હૅમરેજનો સ્ટ્રક્ચરલ કારણોમાં સમાવેશ થાય છે, જેમાં દર્દીના મગજ પર જ શારીરિક પ્રતિકૂળતાની સીધી અસર થાય છે, જ્યારે મેટાબૉલિકમાં મગજ સિવાયનાં શરીરનાં અન્ય અંગોમાં પ્રથમ અસામાન્યતા વર્તાય છે. એટલે કે દર્દ શરીરમાં ઊભું થાય છે જેની અસર પછી મગજ પર થાય છે. દા.ત. શુગર, કીડનીની બીમારી. જોકે કોમાના ૨થી ૮ ટકા કેસ એવા પણ હોય છે જેમાં દર્દી કોમામાં ગયાનું કારણ જાણી શકાતું નથી. માથાનો અસહ્ય કે અનપેક્ષિત અથવા હઠીલો દુ:ખાવો થતો હોય તો તેને હળવાશથી ન લેતાં તપાસ કરાવી લેવી હિતાવહ છે. લકવાવાળા દર્દીને હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવો જોઈએ જેથી સમય બચી જાય અને સી.ટી. સ્કેન કરાવી અન્ય સારવાર આપી શકાય. આ સાથે લકવા અને તેને કારણે કોમા પેશન્ટની વધતી સંખ્યા ત્યારે જ ઘટશે જ્યારે બી.પી., ડાયાબિટીસની સારવાર યોગ્ય રીતે લેવામાં આવે અને જીવનશૈલી સુધરે, સ્થૂળતા ઘટે વગેરે. છેલ્લા કેટલાક સમયમાં કોમાના પેશન્ટના વધેલા પ્રમાણનું કારણ બી.પી., ડાયાબિટીસ, તમાકુ, દારૂ, કેફી દ્રવ્યો, માર્ગઅકસ્માત, પોઇઝનિંગ અને એઇડ્સનું વધતું પ્રમાણ છે. કેટલીક દવાઓની આડઅસરથી પણ કોમા થઈ શકે, જેમ કે ઇન્સ્યુલિનની માત્રા વધુ પડે તો લોહીમાં શર્કરાશુગર જોખમી પ્રમાણમાં ઘટી જાય અને દર્દી કોમામાં સરી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy