SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો ટીક્લોપિડીનની જગા આજકાલ ક્લોપીડોજેલ નામની દવાએ લઈ લીધી છે. જે દર્દીઓ ડઅસરને કારણે એસ્પિરીન નથી લઈ શકતા અથવા એસ્પિરીન ઉપરાંત એક બીજી દવાની જરૂર પડતી હોય તો ક્લોપીડોજેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ખાસ સંજોગોમાં ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ (વોરફેરીન, એસિટ્રોમ) દવાઓ પણ લોહી પાતળું પાડવા ખાસ સંજોગોમાં વાપરવી પડે છે. દર્દીનો Prothrombin Time આ દવા આપતા પહેલાં લેવામાં આવે છે. બાદમાં દર ૨-૩ દિવસે Prothrombin Time (બ્લડ ટેસ્ટ) લઈને લોહી યોગ્ય માત્રામાં પાતળું થયું છે કે નહીં તે ચકાસવામાં આવે છે. લોહી વધારે માત્રામાં પાતળું પડી જવાથી Prothrombin Time જરૂરતથી વધારે વધી જાય અને ક્યારેકક્યારેક તો ગંભીર પ્રકારનું હેમરેજ પણ થઈ શકે છે. ડૉક્ટરની સૂચના મુજબ Prothrombin Time ચકાસતા રહેવું પડે છે. કોઈપણ પ્રકારનો રક્તસ્રાવ (બ્લિડિંગ) થાય તો દવા બંધ કરવી પડે છે. (૨) સિરદર્દ-માઈગ્રેનની દવાઓ : માથાના દુખાવા - માઇગ્રેન અટકાવવા તથા બ્લડપ્રેશર વગેરેમાં ખૂબ વપરાતી બીટાબ્લોકર દવા પ્રોગ્રેનોલોલ (Propranolol) (ઇન્ડિરાલ, સિપ્લાર) દમની વ્યાધિવાળા દર્દીને જો આપવામાં આવે તો દમનો હુમલો આવી શકે છે. ક્યારેક ક્લડપ્રેશર વધારે પડતું ઘટી જાય, નાડીના ધબકારા ઘટી જાય. વધુ માત્રામાં લાંબો સમય લેવાથી પુરુષોમાં ક્યારેક નપુંસકતા આવી શકે અને પગની આર્ટરીઝમાં લોહીનું પરિભ્રમણ ઘટી શકે. આ ઉપરાંત અન્ય અસરો માટે પણ ડૉક્ટરે સતર્ક રહેવાનું હોય છે. માઇગ્રેનમાં વપરાતી બીજી અસરકારક દવા ફલુનારિઝિન (Elunarizine) છે. તેના લાંબા વપરાશથી ડિપ્રેશન, પાર્કિન્સોનિઝમ થઈ શકે, વજન વધે, વાળ ખરે તથા સ્ત્રીઓમાં માસિક અનિયમિત થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy