SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લાંબા સમય સુધી વાપરવી પડે તેવી ન્યુરૉલૉજીની દવાઓ વિશે સમજણ (૪) બ્રોમોક્રિપ્ટિન (Bromocriptine) : આ એક ઉપયોગી દવા છે પરંતુ તેના વધારે ડોઝના સેવનથી ઊલટી-ઊબકા કે લો બી.પી. વગેરે થાય છે અને લાંબા સમયે મૂંઝવણ, ભ્રમણા, પગે સોજા અને લાલાશ એમ વિચિત્ર તકલીફો થતી હોય છે. નવાં દવાઓ જેવી કે પ્રેમિપેક્સોલ (Pramipexole), રોપિનિરોલ (Ropinirole), ટોલકેપોન (Tolcapone) વગેરેની આડઅસર ઓછી છે અને પ્રમાણમાં વધુ અસરકારક સાબિત થઈ છે પરંતુ લાંબા સમયની આડઅસરો માટે બારીક નિરીક્ષણ કરતા રહેવું પડશે, હજી આપણે પ્રતીક્ષા કરવી પડે. અન્ય દવાઓ: ૨૭૫ (ક) (૧) લોહી પાતળું કરવાની દવાઓ : છૂટથી વપરાશમાં આવતી આવી મુખ્ય દવાઓમાં એસ્પિરિન (aspirin) છે જેનો મુખ્ય ઉપયોગ ન્યુરૉલૉજિસ્ટ ડૉક્ટરો દર્દીને લકવો અટકાવવા, લોહી પાતળું કરવામાં ઘણીવાર જિંદગીભર વાપરે છે અને તે યોગ્ય રીતે વાપરવામાં આવે તો ખરેખર સૌથી વધુ અસરકારક છે. પરંતુ, તેનાથી ક્યારેક સખત ઍલર્જીથી મૃત્યુ થયાના કેસ પણ નોંધાયા છે. ઊલટી-ઊબકા, ઍસિડિટી એ તો ખૂબ જાણીતી આડઅસર છે અને પેપ્ટિક અલ્સર (હોજરીમાં ચાંદું) થઈ લોહીની ઊલટી પણ થઈ શકે. આ સિવાય આડઅસર આ દવાના લાંબા ઉપયોગ દરમિયાન શરીરમાંથી લોહી વહેવું તેમ જ બીજી ઘણી થતી હોઈ ડૉક્ટરે બહુ કાળજી રાખી જોતાં રહેવું પડે. લકવો અટકાવવાની આવી બીજી દવા છે ટિક્લોપિડિન (Ticlopidine), તેનાથી આશરે ૨થી ૩ ટકા કેસમાં શ્વેતકણો ઘટી જવાની ગંભીર સમસ્યા થાય છે. વિશેષમાં ઍલર્જી, પેટમાં ગરબડ અને ઝાડા વગેરે થઈ શકે. આ જ કારણસર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy