________________
૨૭૪
મગજ અને જ્ઞાનતંતુના રોગો (૧) ટી.એચ.પી.એચ. (પેસિટેન) - TH.P.H. (Pacitane) :
- આ દવા ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને આપવામાં જોખમ વધે છે. પેશાબનો અટકાવ થાય, મૂંઝવણ (confusion) થાય અને યાદદાસ્ત બગડે તે એક ખૂબ સામાન્ય એટલે કે જાણીતી આડઅસર છે. તેથી આ દવા મહદંશે ૪૦થી ૬૦ વર્ષની વ્યક્તિ
અને જેને પ્રોસ્ટેટની તકલીફ નથી તેવા દર્દીને જ આપવી જોઈએ. (૨) લિવોડોપા - (Levodopa) :
સિનેમેટ, ટાઈડોમેટ અને સિનડોપા વગેરે નામથી પ્રચલિત એવી આ દવા પાર્કિન્સોનિઝમ રોગની આધારસ્તંભ દવા છે પણ તે હૃદયરોગના દર્દી માટે વાપરવામાં ખૂબ સાવચેતી રાખવી પડે. દર્દી એકદમ ઊભો થવા જાય તો તેનું બી.પી. ઘટી જાય અને દર્દી પડી જાય તેવું ઘણી વાર બને છે જેને પોસ્ચરલ હાઈપોટેન્શન કહે છે. ક્વચિત્ જાતીય વૃત્તિ વધી જાય તેવું બને છે. લાંબા સમયના ઉપયોગથી હાથપગની વિચિત્ર હિલચાલ શરૂ થાય છે જેને ડિસ્કાઈનેસિયા, ડિસ્ટોનિયા તથા કોરિઆ કહે છે. આમ થાય તો આ મુખ્ય દવા જુદા રૂપમાં આપવી પડે, બદલવી પડે અથવા
ના છૂટકે શસ્ત્રક્રિયાનો આશરો લેવો પડે. (૩) એમેન્ટિડિન (Amantidin)
મૂળભૂત રીતે ફલૂના રોગમાં વપરાતી આ દવા આકસ્મિક રીતે જ પાર્કિન્સોનિઝમમાં અસરકારક છે તેમ ૧૯૩૪માં શોધાયું અને તે પછી તે ખરેખર ઘણી અસરકારક છે તેમ ફરીફરીને પુરવાર થયું છે. પરંતુ, તેનાથી પણ પગમાં ચામડીનો રોગ (લિવિડો રેટિક્યુલારિસ), હૃદયની તકલીફ, પગે સોજા, માનસિક મૂંઝવણ અને ડિપ્રેશન વગેરે આડઅસરો થાય છે. તેથી આ દવા વચ્ચે વચ્ચે બંધ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org