SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩. લાંબા સમય સુધી વાપરવી પડે તેવી ન્યુરૉલૉજીની દવાઓ વિશે સમજણ (૩) વાત્રોઈક ઍસિડ : (Valeroic Acid) આ દવા ઘણા પ્રકારની એપિલેપ્સીમાં વાપરવામાં આવે છે. તેનાથી વજન વધે, વાળ ખરે તે સામાન્ય છે પરંતુ તે ક્વચિત્ યકૃત(લિવર)ને નુકસાન કરે છે તેથી આ દવા ચાલુ હોય ત્યારે નિયમિત ૩થી ૪ મહિને એસ.જી.પી.ટી. નામની લોહીની તપાસ કરાવતા રહેવું જોઈએ, જોકે આ સલાહમાં કેટલીક ગૂંચવણો પણ છે, જેમ કે અઠવાડિયા પહેલાં એસ.જી.પી.ટી. નૉર્મલ હોય અને પછી અચાનક લિવર બગડવા માંડે તેવું બની શકે, તેમ લાગે તો ફરીથી ટેસ્ટ કરાવી દવા બંધ કરવી પડે. ગર્ભવતી સ્ત્રીને આ દવા આપવાથી બાળકની કરોડરજ્જુ વગેરેમાં તકલીફ ઊભી થવાના અહેવાલો છે, જો કે તેનું પ્રમાણ ૧૦૦૦માંથી આશરે ૧૦ બાળક જેટલું જ છે. આ માહિતી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે સોનોગ્રાફી દ્વારા અને આલ્ફા-ફિટોપ્રોટીન નામના લોહીના ટેસ્ટ દ્વારા કે એગ્નિઓસેન્ટેસિસ દ્વારા મળે છે. તેમાં ગરબડ હોય તો પ્રેગ્નન્સી અટકાવવી પડે માટે શક્ય હોય ત્યાં સુધી ગર્ભાવસ્થામાં આ દવા ન આપવી જોઈએ. (૪) ફિનોબાર્બીટોન: (Phenobarbitone) આ દવા બહુ જૂની અને અસરકારક છે પરંતુ નાનાં બાળકોને તે વધુ સમય આપવાથી તે જિદ્દી અને તોફાની થઈ શકે. ક્યારેક આ દવાથી યાદદાસ્ત પણ બગડે છે તેમ મનાય છે, ઘેન ચઢે તે પણ તેની આડઅસર છે તેથી આ દવા આજકાલ ઓછી વપરાય છે. હવે તેના બદલે હવે તેનો ફેરફાર કરી ઈટરોબાર્મિટોન દવા યુરોપમાં વપરાય છે જેનાથી આડઅસરો ઓછી થઈ જાય છે. (બ) પાર્કિન્સોનિઝમની દવાઓની આડઅસરો : આ હઠીલા રોગની દવા પણ મોટે ભાગે જિંદગીભર લેવી પડે છે તેથી તેની આડઅસરોનો વિચાર કરવો જરૂરી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy