SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો ઉદ્ભવતા વિદ્યુતકીય આંચકાઓને કમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી રોકી શકાય છે. તે ઉપરાંત જરૂર પડે લોબેકટમી, કમીસરોટૉમી તથા કોર્પસકેલોઝોટૉમી જેવી મોટી સર્જરી કરી શકાય અને એક ચેતાસમૂહથી બીજા ચેતાસમૂહ સુધી પ્રસરતા તરંગોને અટકાવવા કરાતી ટ્રાન્ઝેક્શન સર્જરી જેવી અનેકવિધ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. ૨૬૪ લેસર : એનો વ્યાપ હવે ધીમેધીમે વધતો જશે તેમ લાગે છે. જે અંગોને છેદી ન શકાય તેને બાળી નાખી શકાય તેવો આ રસ્તો છે. પ્રોટોનબીમ પણ આવી પદ્ધતિ છે જેનાથી લોહીનાં ગૂંચળાં (A-V Malformations) બાળી શકાય. રેડિઓફ્રિક્વન્સી લીઝન જનરેટર : ટ્રાઇજેમિનલ ન્યુરૉલ્ફિઆ તથા એવાં બીજા પીડાકારી રોગોમાં તેમ જ પાર્કિન્સોનિઝમ પ્રકારના મૂવમેન્ટ ડિઑર્ડર્સમાં આ પદ્ધિત અસરકારક પુરવાર થઈ છે જેમાં નામ મુજબ રેડિઓફ્રિક્વન્સી કરન્ટથી કોઈ ચેતાની કામગીરી સ્થગિત કરી દઈ અથવા બાળી દઈ રોગમાં રાહત મેળવવામાં આવે છે. ગામા-નાઇફ અને લીનીઅર એક્સલરેટર : ઑપરેશન વગર ગાંઠ અથવા બીજા એવા રોગોને નાથવાની આ પદ્ધતિ ઝડપથી પ્રસરી રહી છે. તે ઘણી ખર્ચાળ હોઈ, ભારતમાં બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ છે. પણ તેનાથી ઑપરેશનનાં જોખમથી ઘણે અંશે બચી જવાય છે. પણ તેમાં નિષ્ફળતાનો આંક પણ હોય છે. મૅનિન્જિઓમા અને શ્વાનોમા વગેરે પ્રકારની સાદી ગાંઠોમાં આ ઇલાજ ખૂબ પ્રચલિત છે. તેનો ખર્ચ આશરે ૧થી ૨ લાખ રૂપિયા આવે. એન્ડોસ્કોપિક ન્યુરૉસર્જરી ઃ આ પણ એક જાતની મિનિમમ ઇન્વેઝિવ સર્જરી છે. અર્થાત્, આમાં મગજને આખું ખોલ્યા વગર ઊંડાણમાં આવેલા રોગો ખાસ કરીને ગાંઠ કાઢવામાં આવે છે. તેમ જ લોહીની નળીના એન્યુરિઝમ(ફુગ્ગા)ને નાથવામાં આવે છે. તેનાથી ઑપરેશનનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. પણ ખૂબ નાની જગ્યામાંથી દૂરબીન દ્વારા ઑપરેશન કરવાનું હોવાથી તે માટે ખૂબ અનુભવ જરૂરી બને છે. થર્ડ કે ફૉર્થ વેન્ટ્રિકલ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy