SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ મગજની શસ્ત્રક્રિયા-ન્યુરૉસર્જરી ૨૬૩ (૨) ખોપરીનો ભાગ કાપીને ખોલવાનાં ઑપરેશનો ક્રેનીઓટૉમી અને ક્રેનીએક્ટમી હોય છે. તેના દ્વારા મગજ સુધી સીધા પહોંચી જવાય છે. (૩) કરોડનો મણકો અડધો ખોલી નાંખવામાં આવે તેને હૅમીલેમીનેક્ટમી કહેવાય, આખો ખોલી નાંખવામાં આવે તેને લેમીનેક્ટમી કહેવાય (૪) કરોડ઼ેના મણકામાં કાણું પાડી નાનીમોટી સર્જરી કરી શકાય છે. મગજ અને કરોડરજ્જુ જેટલાં નાજુક અને સંવેદનશીલ છે તેટલાં જ સુરક્ષિત છે તે અગાઉ કહ્યું છે. તેને લીધે ત્યાં પહોંચવાનાં સાધનો પણ જુદી રીતે વિકસાવવાં પડે છે. સુસજ્જ ઑપરેશન થિયેટરથી માંડીને યોગ્ય ઑપરેશન ટેબલ, સુયોજિત પ્રકાશ-વ્યવસ્થા આ બધાંની જ જરૂર પડે છે. ઘણાં ઑપરેશનો માઇક્રોસ્કોપની મદદથી વધુ સારી રીતે પાર પડે છે. કાણું પાડવાની ઝડપી ડ્રિલ, સારા રિટ્રેક્ટર અને યોગ્ય કૉટરી (લોહી બંધ કરવા) જરૂરી હોય છે. કેટલીક ગાંઠો પિગાળવા ઝડપી અલ્ટ્રાસોનિક સિસ્ટમ વપરાય છે. ઑપરેશન દરમ્યાન પણ અલ્ટ્રાસાઉન્ડથી મૉનિટરિંગ કરવાથી મગજના ઊંડાણમાં આવેલી ખરાબી તથા તેની ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવે છે. સ્ટીરીઓટેક્સીકનાં સાધનો મગજ તથા કરોડરજ્જુમાં ઊંડે આવેલી ગાંઠોની બાયૉપ્સી કરવા તેમજ તેને દૂર કરવા વાપરવામાં આવે છે. નવી શોધખોળ મુજબ પાર્કિન્સોનિઝમ, એપિલેપ્સી જેવા રોગોમાં આ સ્ટીરીઓટેક્સીક પદ્ધતિએ તો કમાલ કરી નાખી છે. મગજને આખેઆખું ખોલ્યા વગર, ખોપરીમાં એક નાનું કાણું (Burr-hole) કરીને તેના દ્વારા દ્વારા મગજના છેક ઊંડાણમાં સોય અને ઇલેક્ટ્રૉડની મદદથી અતિ જટિલ એવા રોગોની સારવાર થઈ શકે છે. એપિલેપ્સી માટે માઇક્રોસર્જરી દ્વારા સંતોષકારક પરિણામો મળે છે, ખાસ કરીને ટેમ્પોરલ લોબ એપિલેપ્સીમાં. આ રીતે સ્ટીરીઓટેક્સીક સર્જરી એપિલેપ્સીમાં પણ કામ લાગે છે. વેગલ સ્ટિમ્યુલેશન પણ એક આવી જ નાની પ્રૉસિજર છે જેમાં માઇક્રોઇલેક્ટ્રૉડ અને સ્ટિમ્યુલેટર દ્વારા મગજમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy