SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ (પ) લાગુ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૪) શરીરના સ્નાયુઓ તંગ બને, હાથ-પગ ઠંડા થઈ જાય, શરીરે પરસેવો વળી જાય, રૂંવાડાં ઊભાં થાય, કોઈ વાર ધ્રુજારી પણ થાય. લોહી જામી જવાની પ્રક્રિયા ઝડપી બને છે (૬) આંખની કીકીઓ પહોળી બને છે. (૭) ઇન્દ્રિયો સતેજ બને, તેમજ સાંભળવાની, જોવાની અને સુંઘવાની તીવ્રતા વધે. (૮) શરીરની ચયાપચયની પ્રક્રિયા મેટાબોલિઝમ) ઝડપી બને છે. (૯) મગજની વિચારશક્તિ ઝડપી બને. (૧૦) નિર્ણયશક્તિ તથા પરિસ્થિતિને પારખવાની સૂઝમાં તેજી- વેધકતા આવે અને સ્મરણશક્તિ સતેજ બને. કોઈ વાર “શું થશે? તેવી બીક પણ લાગે. લાંબા સમયના તનાવની શરીર પર થતી નકારાત્મક અસરોઃ (૧) વર્તનની સમસ્યાઓ ગુસ્સાવાળો તથા ચીડિયો સ્વભાવ થઈ જવો, કાર્યશક્તિમાં ઘટાડો થવો, સ્વભાવ ભુલકણો થઈ જવો, વિવેકહીન અને બેધ્યાન થવું, ખરાબ આદતોના શિકાર થવું, જાતીય જીવનની સમસ્યાઓ પેદા થવી, ખોરાકમાં અરુચિ અથવા તો અતિશય ખાવાની ટેવ પડવી. લાંબો સમય તનાવના કારણે ઊભી થતી વર્તનની સમસ્યાઓનાં આ બધાં વિવિધ લક્ષણો છે (૨) રવાથ્યની સમસ્યાઓ : માથાનો દુખાવો, દમ, હાઈ બી.પી., સંધિવા, ચામડીના રોગો, હૃદયરોગ, જઠરની ચાંદી, ચક્કર આવવાં, અનિદ્રા અને ડિપ્રેશન વગેરેનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ આશરે ૮૦ ટકા રોગો માનસિક તનાવને લીધે શરીરમાં પેદા થાય છે જેને મનોદૈહિક રોગો કહે છે. આ સિવાય તનાવથી રોગપ્રતિકારક-શક્તિ ઘટે છે. સારી : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy