SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાયુના રોગો ૨૪૧ સામાન્ય બાળકોની સરખામણીમાં ઓછું હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેના સ્નાયુઓ ઘણી વાર કડક થઈ જતા હોય છે અને બાળકનો માનસિક વિકાસ ધીમો પડી જાય છે. સ્નાયુઓ સુકાયેલા (atrophy) જોવા મળે છે. ઘણાં બાળકોમાં વધતી ઉંમર સાથે સાથે સ્નાયુઓમાં પણ સામાન્ય બાળક જેવો જ વિકાસ થાય છે તથા માનસિક વિકાસ પણ બરાબર થાય છે. આ રોગમાં બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી એમના સ્નાયુઓમાં તાકાત વધે અને એનો યોગ્ય રીતે વિકાસ થાય. જરૂર પડે વ્યવસાયિક નિષ્ણાતની સલાહ પણ લઈ શકાય. (F) ઇન્ફલેમેટરી માયોપથી : સ્નાયુઓના સોજાથી થતા કેટલાક મુશ્કેલીભર્યા રોગો વિશે હવે આપણે સવિસ્તર જોઈશું. પૉલીમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાયટિસ : પૉલીમાયોસાયટિસ અને ડર્મેટોમાયોસાયટિસ શું છે? આ રોગોમાં પ્રથમ સ્નાયુઓમાં સોજાની-ઇન્ફલેમેશનની પ્રક્રિયા થાય છે અને તેથી સ્નાયુઓ ઢીલા અને કમજોર થતા જાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ સ્નાયુઓની નબળાઈ છે જે ક્રમશઃ વધીને દર્દીને પાંગળો બનાવી દે છે. ડર્મેટોમાયોસાઇટિસના રોગીઓમાં ચહેરા, પીઠ, છાતી, કોણી અને ઢીંચણના ભાગ પર લાલાશ પડતાં ચાઠાં પણ જોવા મળે છે. કારણ: આ રોગો વારસાગત નથી. શરીરના રક્ષણાત્મક પ્રતિકારતંત્ર (સ્નાયુની ઇમ્યુન સિસ્ટમ)માં ફેરફાર થવાથી સ્નાયુઓનો નાશ કરતા કોષો પેદા થાય છે જે આ રોગને માટે જવાબદાર છે. અહીં એ નોંધવું જરૂરી છે કે આ રોગ ચેપી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy