SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો પ્લાઝમાફેરેસિસ નામની પદ્ધતિમાં ડાયાલિસીસની માફક દર્દીના શરીરમાંથી એક સમયે ૧૫૦૦થી ૩૦૦૦ મિ.લિ. જેટલું લોહી કાઢી તેને શુદ્ધ કરવામાં આવે છે. સેલ સેપરેટર દ્વારા કોષોને અલગ કરી, તેને શુદ્ધ કરી રક્તમાંના હાનિકારક ઍન્ટિબૉડિઝ (પ્રતિદ્રવ્યો) દૂર કરી, શુદ્ધ લોહી ફરીથી દર્દીના શરીરમાં ચડાવવામાં આવે છે. આ પદ્ધતિથી રોગ આગળ વધતો અટકાવી શકાય છે તથા શ્વાસોચ્છવાસની તકલીફ નિવારી શકાય છે અને સુધારો ઝડપી બનાવી શકાય છે. આ પ્રક્રિયા આંતરે દિવસે એક વાર એમ કુલ પાંચેક વખત કરવામાં આવે છે. આ રોગની બીજી વધુ સચોટ દવા છે ગામા ગ્લોબ્યુલીન. લોહીની નસમાં ઇંજેક્શનરૂપે અપાતી આ દવાથી હાનિકારક ઍન્ટિબૉડિઝ દૂર થાય છે. રોજનાં ૪૦૦ મિ.ગ્રા./કિ.ગ્રા. (શરીરના વજન અનુસાર) આ દવા પાંચ દિવસ આપવામાં આવે છે. આ દવાની આડઅસરો પણ ખૂબ ઓછી છે. આ દવા બાળકો તથા હૃદયના દર્દીઓને પણ આપી શકાય છે પરંતુ આ સારવાર અતિશય મોંઘી હોવાથી બધા દર્દીઓ તેનો લાભ લઈ શકતા નથી. આવી સારવાર ઉપરાંત એ.આઇ.ડી.પી.ના દર્દીઓમાં બીજી કેટલીક કાળજી રાખવી જરૂરી છે. આ દર્દીઓને પૂરતું પોષણ મળી રહે, શરીરે ભાઠાં ન પડે, કોઈ પ્રકારનો ચેપ લાગે નહિ તેની ખૂબ કાળજી લેવી જોઈએ. શ્વાસોચ્છવાસમાં સહેજ પણ તકલીફ પડે તો ડૉક્ટરને જાણ કરવી જોઈએ. જરૂર પડે વેન્ટિલેટર મશીન પર મૂકી શ્વાસ ટકાવી શકાય છે, જે ખર્ચાળ છે પણ તે જિંદગી બચાવી શકે છે. આ સિવાય કસરત (ફિઝિયોથેરપી)થી પણ આ રોગમાં ખૂબ ફાયદો થતો જોવા મળે છે, જે સારવારનું એક અતિ મહત્ત્વનું અંગ છે. શરૂઆતના પંદરેક દિવસમાં રોગ આગળ ન વધે અને ખાસ કરીને શ્વાસની તકલીફ ન થઈ હોય તો રોગ પૂરેપૂરો મટવાની શક્યતા ખૂબ વધી જાય છે. જોકે સંપૂર્ણ રીતે સારું થતાં કદાચ મહિનાઓ વીતી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy