SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ કરોડરજજુના રોગો (માયલોપથી) ખૂબ સારા પરિણામો આવે, જેમ કે દુખાવો જતો રહે, ચાલવામાં સરળતા થાય અને અગાઉ જણાવેલાં રેડિક્યુલોપથી તથા માયલોપથીનાં લક્ષણોચિહ્નો મહદંશે ઘટી જાય. (૨) કરોડરજ્જુના અન્ય પ્રકારના રોગોને નોનકોઍસિવ માયલોપથી કહે છે. જેનાં ઘણાં કારણો છે. તેમાંનાં મુખ્ય નીચે મુજબ છે : (૧) કરોડેરજ્જુના અનેક જાતના વાઇરસના રોગો જેમાં હર્પિસ, રેબિસ અને એઇટ્સના વાઇરસ પણ આવી જાય. આને વાઇરલ માયલાઈટિસ કહે છે. (૨) ટી.બી., પરુનાં ચેપી જંતુઓ, ફૂગ, સિફિલિસ વગેરે અનેક જાતના અન્ય પ્રકારના ચેપી રોગો. આ પણ માયલાઈટિસ જ છે. મણકાનો ટી.બી. હજી પણ પ્રચલિત છે. (૩) કરોડરજ્જુના અન્ય પ્રકારના સોજા જેમ કે હડકવાની રસીની આડઅસરથી કરોડરજ્જુની કાર્યવાહી અટકી જવી. (હવે, આ જૂના પ્રકારની રસી હવે ભાગ્યે જ વપરાય છે. - મલ્ટિપલ સ્કૂલૅરોસિસ. (ડિમાયલીનેટિંગ ડિઝીઝ) - કોલેજન દા.ત. લ્યુપસના કરોડરજજુના રોગો - શરીરમાં અન્યત્ર કેન્સર હોય અને કરોડરજ્જુમાં સોજો આવે. - રેડિએશન(વિકિરણ)થી કરોડરજજુને નુકસાન થવું. ઉપરના ત્રણેય (૧), (૨), (૩) એ માઇલાઇટિસ (myelitis) એટલે કે કરોડરજજુના સોજા જ કહેવાય. (૪) કરોડરજ્જુમાં લોહીનો પુરવઠો કપાઈ જવો. (૫) કરોડરજ્જુમાં હેમરેજ થવું, જેમ કે લોહીની નળીનો ગુચ્છો ફાટવો. (૬) વિટામિન બી12 કે ફોલીક ઍસિડની ઊણપથી કરોડરજ્જુને . નુકસાન થવું. ક્યારેક-ક્યારેક Vit. Eની ઊણપથી પણ નુકસાન ન થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy