SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો બાળકોમાં થતા આ રોગમાં બંને પગ અથવા હાથ-પગનો વિકાસ અત્યંત ધીમો થઈ જાય છે. ક્યારેક ખેંચની સાથે માનસિક વિકલાંગતા પણ જોવા મળે છે. આ રોગનો દર ૦.૨% છે. આ રોગનાં કારણોમાં જન્મ સમયે ઑક્સિજનની અછત, ગર્ભનો વિકાસ બરાબર ન થવો, જન્મ સમયે સાધનના ઉપયોગથી થતી હાનિ, જન્મ પછી તરત જ ખેંચ આવવી અથવા કમળો થઈ જવો વગેરે છે. સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી, ડિકસાઈનેટિક સેરિબ્રલ પાલ્સી, એટેક્સિક સેરિબ્રલ પાલ્સી અને હાયપોટોનિક સેરિબ્રલ પાલ્સી, આ બધાં સેરિબ્રલ પાલ્સીના પ્રકાર છે. ઉંમર વધવાની સાથે આ રોગમાં સુધારો જોવા મળે છે. ૩૩% બાળકો સારા બુદ્ધિઆંકવાળાં હોય છે, જે સામાન્ય શાળામાં જઈ શકે છે, બાકીનાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં તાલીમ આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy