SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૪) ઑક્યુપેશનલ થેરાપિસ્ટ (૫) સ્પેશિયલ ટીચર (૬) આ ઉપરાંત જરૂર પડે તો હાડકાના ડૉક્ટર, આંખના ડૉક્ટર અને ન્યુરોલૉજિસ્ટનો અભિપ્રાય લેવો પડે છે. દવાઓમાં કડક સ્નાયુઓને નરમ એટલે કે ઢીલાં કરવાની દવા વાપરી શકાય. યોગ્ય કિસ્સામાં બોટ્યુલિનીયમ ટોક્સિનનાં ઇજેક્શન યોગ્ય માત્રામાં સ્નાયુઓમાં આપવાથી કેટલીક વાર સંતોષકારક પરિણામ મળી શકે છે અને કેટલાક દરદી પોતાની જાતે કામ કરતા અને હરતા ફરતા પણ થઈ શકે છે. ખેંચ હોય તો યોગ્ય દવા કરવી. (૭) યોગ્ય કેસોમાં હાથપગની નાનીમોટી સર્જરી • આ સારવાર-તાલીમનું લક્ષ્ય હોય છે ? દરરોજનાં કાર્યોમાં સ્વાવલંબન સામાજિક યોગ્યતા શૈક્ષણિક યોગ્યતા આર્થિક સ્વાવલંબન આ રોગની સારવારમાં મર્યાદાઓ છે તેથી આપણું મુખ્ય લક્ષ્ય આ રોગના અટકાવ (પ્રિવેન્શન) તરફ હોવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ગાયનેકોલોજિસ્ટ દ્વારા નિયમિત તપાસ તથા પરીક્ષણ, પ્રસૂતિ હૉસ્પિટલમાં કરાવવી તથા જન્મ દરમિયાન તથા નવજાત શિશુની યોગ્ય સારવાર કરાવવાથી રોગનું પ્રમાણ ૭૦ ટકા જેટલું રોકી શકાય. જ્ઞાનતંતુરક્ષક દવાઓ (ન્યુરોપ્રોટેક્ટિવ દવાઓ), મેગ્નેશિયમ સલ્ફટ, ઇન્ડોમેશાસિન તથા યોગ્ય સમયે સિઝેરિયન ઓપરેશનનો નિર્ણય આ સંદર્ભમાં ઉપયોગી બની શકે. | _| | _| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy