SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો સી. પી.વાળા બાળકમાં ઉપર જણાવેલ કોઈ એક કે વધારે ખોડ ડોઈ શકે છે. આ સિવાય નીચે જણાવેલી કેટલીક તકલીફો સામાન્ય રીતે જોવા મળે છે : ૧૮૨ (૧) ત્રાંસી આંખ - ૫૦થી ૬૦% બાળકોમાં જોવા મળે છે. (૨) જોવાની તકલીફ (૩) ખેંચ (એપિલેપ્સી) (૪) સાંભળવાની તકલીફ (૫) મંદબુદ્ધિ – ૬૬% (૬) સ્વભાવમાં જિદ્દીપણું વગેરે ૬૬% સામાન્ય માહિતી જન્મથી જ સેરિબ્રલ પાલ્સી હોવી એ ખૂબ જ દુઃખદાયક ઘટના છે પણ તેમાં સુધારો થતો જ નથી તેમ હોતું નથી. કેટલાંક બાળકોને સામાન્ય તકલીફ હોય તો તેમાં સુધારો ઝડપથી થાય છે. બાકીના કેસમાં ખૂબ કસરત (ફિઝિયોથૅરપી)થી તથા યોગ્ય દવાઓના સંયોજનથી લાંબા ગાળે થોડો ફાયદો થઈ શકે છે. આ પ્રકારના રોગમાં આશરે ત્રીસ ટકા દર્દીઓને તીવ્ર રોગ હોય છે જેમાં સારું થવાની શક્યતા ઓછી હોય છે. જન્મ પછીના પ્રથમ માસ સુધી નૉર્મલ દેખાતું બાળક ધીમે ધીમે તેના વિકાસમાં ખૂબ પાછળ છે તેવું જણાઈ આવે છે અથવા તો બેસવાનું શીખી શકતું નથી. તે જ પ્રકારે ચાલવાની ક્રિયા જે સામાન્ય સંજોગોમાં એક વર્ષની ઉંમરે આવવી જોઈએ તે ઘણી મોડી આવે છે અને ચાલવાનું શીખે તો પગના પંજા ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે અને ચાલવામાં ખૂબ તકલીફ પડે છે. આ જ રીતે મગજના વિકાસમાં અને બુદ્ધિશક્તિમાં ઘણાં બાળકો કમજોર રહે છે, બોલવાનું મોડું શીખે છે તથા ઉચ્ચારો સ્પષ્ટ હોતા નથી. કેટલાક તીવ્ર કેસમાં ચહેરા ઉપરથી બાળક મંદબુદ્ધિનું હોય તેમ જણાઈ આવે છે. આમાંનાં કેટલાંક બાળકો ખૂબ તોફાની For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy