SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૩) મા-બાપના લોહીનાં બ્લડ-ગ્રૂપ-Rh (માતાનું બ્લડગ્રુપ-Rh નેગેટિવ તથા પિતાનું પોઝિટીવ હોવાથી) પ્રકારમાં અસમાનતા (૪) આનુવંશિક બીમારીઓ, તમાકુ-દારૂનું સેવન. (૫) માતાની પોતાની જ બીપી, ડાયાબીટીસની બીમારી અને ગર્ભનાં વાતાવરણ તથા વિકાસમાં ખામી, અપૂરતું પોષણ, બે-ત્રણ ગર્ભ સાથે રહેવાં... વગેરે (બ) જન્મસમયેઃ (૧) ખૂબ લાંબો સમય પ્રસૂતિની પીડા રહે અને બાળકના ધબકારા ઓછા થાય અથવા વધી જાય. (૨) ઓજારોથી બાળકનો જન્મ કરાવતી વખતે મગજ પર દબાણ (૩) બાળકના ગળા ફરતે નાયડો-ગર્ભનાળ વીંટળાયેલ હોય તો મગજને અપૂરતું લોહી-ઑક્સિજન મળે. (૪) અધૂરા મહિને જન્મ થવો. (ક) જન્મ પછી તરતઃ (૧) આંચકી આવવી. (૨) વધુ પડતો પીળિયો થઈ જવો. (૩) લોહીમાં ખાંડ (શુગર) ઓછી થવી. (૪) લોહીમાં ચેપ (૫) લોહીમાં કેલ્શિયમની ઓછપ-ઊણપ (૬) મગજ ઉપર સોજો કે બ્રેઈન હેમરેજ (૭) મેનિન્જાઇટિસ, એન્સેફેલાઈટિસ વગેરે આથી જ યોગ્ય કેસોમાં નવજાત બાળકને યોગ્ય નિરીક્ષણ-સારવાર માટે ઈક્યુબેટરમાં રાખવામાં આવે છે. પરંતુ દરેક બાળકમાં કારણ મળી જ જાય તેવું બનતું નથી. ઉપર જણાવેલાં ઘણાં કારણોને રોકી શકાય છે પરંતુ તે માટે સજાગતા ખાસ જરૂરી છે. તે માટે યોગ્ય જનજાગૃતિની તાતી જરૂર છે. માટે જ શિશુની ડિલિવરી વિવિધ સુવિધાવાળી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબ દ્વારા જ કરાવવી જોઈએ. Us On Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy