SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો • સારવાર : એઇટ્સના દર્દીની સારવાર થઈ શકે છે છતાં પણ તેને સંપૂર્ણ મટાડી શકાય તેવી સારવાર હજી શોધાઈ નથી. વર્તમાન દવાઓ તથા સારવાર પદ્ધતિથી આ રોગને આગળ વધતો કંઈક અંશે અટકાવી શકાય છે તેમ જ રોગપ્રતિકારકશક્તિ (CD4 count) સુધારી શકાય છે. એઇટ્સના રોગનાં વાયરસનાં જંતુઓનો નાશ કરવા માટેની દવાઓ ત્રણ દવાઓનાં સંયોજન રૂપે લેવાની હોય છે. આ દવાઓ દરદીના શરીરમાં રહેલાં અન્ય ચેપો જેવાં કે ટી.બી.નો રોગ, કમળાનાં વાયરસની ઉપસ્થિતિ તથા દરદીનાં લીવર, કિડની, મગજ વગેરે અવયવોની કાર્યક્ષમતાને આધારે નિષ્ણાત ડૉક્ટર નક્કી કરતાં હોય છે. દવાઓની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આડઅસરો એક મહત્ત્વની બાબત છે જે માટે દરદીએ નિયમિત રીતે ડૉક્ટરને બતાવીને તબિયત માટે તથા આડઅસરો માટે જરૂરી પગલાં લેવા જોઈએ. એન્ટિરીટ્રોવાયરલ દવાઓ નિયમિત લેવાથી દરદી લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્વસ્થ જીવન ગુજારી શકે છે. દવાઓ નિયમિત લેવામાં આવે તો તેની અસરકારકતા લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે. પરંતુ જો દરદી દવાઓ લેવામાં અનિયમિતતા દાખવે તો દવાઓ બિનઅસરકારક પુરવાર થાય છે અને તેથી આવા કિસ્સામાં રોગને કાબૂમાં રાખવાનું કામ બહુ જ અઘરું થઈ પડે છે. આવી દવાઓનો માસિક અંદાજિત ખર્ચ એક હજારથી દસ હજાર રૂપિયા જેટલો હોય છે. - એચ.આઈ.વી.ના ચેપના કારણે પ્રાથમિક અવસ્થામાં દર્દીનું મૃત્યુ મોટે ભાગે થતું નથી પણ એ ખાસ યાદ રાખવું જોઈએ કે એઇસના દર્દીનું મૃત્યુ મોટા ભાગે સૂક્ષ્મ જીવાણુઓથી અને ચેપી જીવાણુઓથી થતું હોય છે. એથી જો આ બંને જાતનાં જંતુઓનું યોગ્ય નિદાન ઝડપથી થાય અને તાકીદે સારવાર લેવામાં આવે તો તેને મટાડી શકાય છે. કેટલીક મહત્ત્વની બાબતો (૧) એચ.આઈ.વી.ના દર્દીઓ નિયમિત તપાસ કરાવે અને નિયમિત દવાઓ લે તો લાંબા સમય સુધી સ્વસ્થ જીવન ગુજારી શકે છે. સરકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy