SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ * ૧ એઈડ્ઝ (તેની ચેતાતંત્ર પર અસર) • મગજ અને ચેતાતંત્રના એઈસ સંબંધી રોગો મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચી શકાયઃ (૧) મગજમાં એન્સેફેલાઇટિસ, હર્પિસ સિપ્લેક્સ, વેરિસેલા ઝોસ્ટર ઇન્ફકશન, એઇડ્રેસ ડિમેન્શિયા (યાદદાસ્તનો રોગ) કૉપ્લેક્સ, મગજના ચયાપચય સંબંધી રોગો, મગજનો ટી.બી., લિમ્ફોમા, ટોક્સોપ્લાઝમોસિસ, પી.એમ.એલ., પરુની ગાંઠ, મગજમાં સિફિલિસ, એચ.આઈ.વી. એન્સેફેલાઈટિસ મગજમાં ફૂગ વગેરે રોગો દ્વારા અત્યંત નુકસાન થઈ શકે છે. સ્પાઈનલ કૉર્ડ (કરોડરજજુ)માં સોજો એટલે કે માઇલાઇટિસ, માઇલોપથી વગેરે રોગો થઈ શકે જેથી દર્દીનું હલનચલન સ્થગિત થઈ જાય. (૩) મગજનાં આવરણો એટલે કે મૅનિજિસમાં ચેપ થવાથી મૅનિન્જાઇટિસ લાગુ પડે. તેમાં ટી.બી., સિફિલિસ કે ફૂગનાં જંતુઓ હોઈ શકે જેના કારણે દર્દી બેભાન થઈ શકે, ખેંચ આવી શકે કે લકવો થઈ શકે. (૪) ચેતાઓ-જ્ઞાનતંતુઓમાં સોજો આવવાથી ન્યુરાઇટિસ થઈ શકે છે ચેપી જંતુઓ દા.ત. હર્પિસ વગેરેને કારણે થાય છે. તેનાથી પગમાં બળતરા, ચાલવાની તકલીફ અને દુઃખાવો વગેરે થઈ શકે. (૫) પૉલિમાયોસાઇટિસ અને સ્નાયુઓને લગતી બીજી બીમારીઓ જેમાં સ્નાયુઓ કમજોર થતા જાય. આમ એઇલ્સ દ્વારા શરીરમાં લસિકાગ્રંથિથી માંડીને ચેતાતંત્ર સુધીના અનેક રોગો થઈ શકે છે, જ્યારે હૃદય સંબંધી બીમારીઓ એઇડ્રેસના દર્દીઓમાં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy