SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ એઈડ્ઝ (તેની ચેતાતંત્ર પર અસર) ૧૭૧ હોસ્પિટલોમાં આ રોગની દવા મફત આપવામાં આવે છે. હાલમાં ગુજરાત સહિત ઘણાંબધાં રાજ્યોની મેડિકલ કૉલેજોમાં ART Centre હોય છે. આ રોગની પ્રાથમિક તપાસ માટે જુદા-જુદા vCTC Centre પણ કાર્યરત છે, જ્યાં દર્દી પરીક્ષણ કરાવીને રોગ વિશેની માહિતી પણ મેળવી શકે છે. (૨) એચ.આઈ.વી. રોગગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે MTCT Programme`પણ ART Centreમાં કાર્યરત હોય છે, જ્યાં તેમની સારી દેખરેખ થાય છે. તેમાં નવજાત શિશુમાં ચેપ લાગવાની માત્રા ઘટાડવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. (૩) એચ.આઈ.વી. રોગનાં દર્દીમાં CRF (કિડનીની નિષ્ફળતા-ફેલ્ય૨) થઈ જાય તો તેમના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવાં મોટાં ઓપરેશનો પણ સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. (૪) આ રોગોના દર્દીઓની સેવા માટે જુદા જુદા સરકારી, ખાનગી સંસ્થાઓ તથા NGO પણ કાર્યરત છે. (૫) ARTના આગમન બાદ આ રોગના દર્દીઓ ત્રણ દશકા સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે. આ દવાઓને તબીબી દેખરેખ હેઠળ જ લેવી જોઈએ કારણ કે આ દવાથી જુદી જુદી આડઅસરો પણ થઈ શકે છે. (૬) એચ.આઈ.વી. ગ્રસ્ત સ્ત્રી-પુરુષ પરસ્પર લગ્ન પણ કરી શકે છે તથા સુખી કૌટુંબિક જિંદગી પણ વિતાવી શકે છે. ટૂંકમાં, તરત-ઝડપી નિદાન, યોગ્ય સારવાર, માવજત, ચેપી રોગથી દૂર રહેવાની જીવનપદ્ધતિ વગેરે દ્વારા દર્દીનું જીવનધોરણ અને આયુષ્ય સુધારી શકાય છે, અને દર્દી માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. આ રોગની જાણકારી માટે કેટલીક સરકારી હૉસ્પિટલોમાં મફત સલાહકેન્દ્રો હોય છે અને હવે તો ઇન્ટરનેટ મારફતે પણ માહિતી ઉપલબ્ધ થાય છે. એઈડઝથી બચવા માટે જરૂરી સાવચેતી - સાવધાની રાખવી એ વિધાન મંત્રની જેમ સદા યાદ રાખવા જેવું છે. સુરક્ષિત જાતીય સંબંધ માટે કોન્ડોમનો ઉપયોગ હિતાવહ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy