SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૪) ઇંજેક્શનની સોય, સિરિંજ તથા અન્ય ઑપરેશનનાં સાધનોથી (૫) નસ દ્વારા કૅફી દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિ જો રોગિષ્ટ હોય તો એક જ સોયના સામૂહિક ઉપયોગથી આ રોગ થઈ શકે. એઇડ્સના ચેપ અંગે સમાજમાં હજી આજે પણ કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, જેમ કે દર્દી સાથે રહેવાથી, તેની સાથે હાથ મિલાવવાથી, રમવાથી અને જમવાથી આ રોગનો ચેપ ફેલાય છે જે ખોટું છે; એટલું જ નહિ પણ આ રોગ ખોરાક, પાણી, જંતુ, મળ કે હવાથી ફેલાતો નથી. તેથી એઇડ્સના દર્દીના સામાજિક સંપર્કથી ડરવું જોઈએ નહીં, બલકે તેમને વધુ હૂંફની તેમજ સામાજિક સ્વીકૃતિ મળે તેવા વ્યવહારવાતાવરણની આવશ્યકતા છે. એઇડ્સ ફેલાતો અટકાવવા માટે આટલું ધ્યાનમાં રાખો : ૧. ઇંજેક્શન લેવા માટે બજારમાં મળતી પ્રમાણિત ડિસ્પોઝેબલ સિરિંજ વાપરવી તથા સામાન્ય બીમારીમાં ઇંજેક્શન લેવાનું ટાળવું. ૨. અજાણી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ ન બાંધો. ૩. કોન્ડોમનો ઉપયોગ કરવો. ૪. જો લોહી લેવાની પરિસ્થિતિ ઊભી થાય તો એચ.આઇ.વી.ની લૅબોરેટરી-તપાસ કરાવીને જ લોહી ઉપયોગમાં લેવું. શક્યતઃ સગાંસંબંધીનું લોહી મેળવી શકાય તો વધુ સારું. ધંધાદારી રક્તદાતાનું લોહી લેવું નહીં. ૫. પોતાનું રેઝર તથા બ્લેડ અલાયદાં રાખવાં, બીજાનાં વાપરવાં નહીં. બીજાંને આપવા પણ નહીં. ૬. એચ.આઈ.વી.ગ્રસ્ત મહિલા દ્વારા તેનાં બાળકને રોગ થવાની શક્યતા નીચે જણાવેલ ઉપાયો દ્વારા ઘટાડી શકાય છે. (1) એચ.આઈ.વી. દવાઓ (એન્ટિરીટ્રોવાયરલ) આપવી. આ દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આપવી. (ii) સુવાવડ દરમિયાન કાળજી રાખવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy