SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩)( એઇઝ (તેની ચેતાતંત્ર પર અસર) ) એઇસ એટલે કે એક્વાયર્ડ ઈમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગ એચ.આઈ.વી (HIV) એટલે કે હ્યુમન ઈમ્યુનો-ડેફિશિયન્સી વાયરસથી થાય છે. આ વાઈરસનાં કારણે શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટી જવાથી તકલીફો ઊભી થાય છે, એ બીમારીને એઈડ્ઝ (AIDS) કહેવાય છે. એઇડ્ઝ એ એક જ રોગ નથી પરંતુ એક કરતાં વધારે રોગોના સમૂહનું નિર્દેશન કરે છે. સામાન્યતઃ આપણા શરીરમાં વિવિધ રોગો સામે લડવા માટે બે પ્રકારની ક્ષમતા હોય છે (૧) સેલ મિડિએટેડ-કોષપ્રેરિત એટલે કે શ્વેતકણોલિમ્ફોસાઇટથી મળતી અને (૨) હયુમોરલ રોગપ્રતિકારકશક્તિ ઇમ્યુનિટી એટલે કે પ્રતિદ્રવ્યો-ઍન્ટિબૉડીઝ મારફતે મળતી ક્ષમતા. એચ.આઈ.વી વિષાણુ લોહીમાં રહેલા ટી-લિમ્ફોસાઈટ પ્રકારના શ્વેતકણોને ચેપ લગાડી તેની સંખ્યામાં અને ક્ષમતામાં ઘટાડો કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિના મુખ્ય આધારરૂપ શ્વેતકણો ઘટવાથી શરીરની રોગપ્રતિકારકશક્તિમાં ક્રમશઃ ઘટાડો થાય છે. તેના કારણે જે સૂક્ષ્મ જીવોથી અન્ય તંદુરસ્ત માણસને ચેપ ન લાગે તે જ સૂક્ષ્મ જીવોથી એઇડ્રેસનો રોગ ધરાવતી વ્યક્તિને સહેલાઈથી-આસાનીથી ચેપ લાગી શકે છે. • એઇટ્સ કેવી રીતે ફેલાય છે (૧) સજાતીય કે અજાણી વ્યક્તિ સાથે બેમાંથી એક પાત્ર જો પોઝીટીવ હોય તો) વિજાતીય સંભોગથી (૨) એચ.આઈ.વી. ચેપ ધરાવતી વ્યક્તિએ આપેલું લોહી બીજા દર્દીને આપવાથી (૩) એચ.આઈ.વી.નો ચેપ ધરાવતી માતાથી તેના બાળકને ગર્ભાવસ્થા દરમિયાન, સુવાવડ વખતે તથા પ્રસૂતિ બાદ સ્તનપાન દ્વારા આ ચેપ લાગવાની ૩૦થી ૪૦% શક્યતા રહેલી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy