SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ એઈડ્ઝ (તેની ચેતાતંત્ર પર અસર) ૧. ૨. ૧૬૭ (iii) બાળકને સ્તનપાન કરાવવું નહીં. (iv) બાળકને ૪૫ દિવસ સુધી ઝીડોવુડીન (Zidovudine) પ્રમાણસરના ડોઝમાં આપવી. આ ઉપાયોથી બાળકને ચેપ લાગવાની શક્યતા ૫ ટકા કરતાં પણ ઓછી કરી શકાય છે. (v) હોસ્પીટલ સ્ટાફે પણ AIDSના દર્દીઓની સારવાર કરતી વખતે તકેદારી રાખવાની હોય છે. એઇડ્સનાં લક્ષણો : પ્રથમ બીમારી ૬થી ૮ અઠવાડિયાંમાં થાય છે. આમાં દર્દીને તાવ આવે, હાથપગના સ્નાયુઓનો દુખાવો થાય, લસિકાગ્રંથિ પર સોજો આવે, ચામડી પર લાલ ચકામાં પડે, ગળામાં સોજો આવે. આ બીમારીમાંથી અઠવાડિયામાં દવા વગર દર્દીને સારું થઈ જાય છે. આ પ્રથમ બીમારીને એક્યુટ સિરોકન્વર્ઝન ઇલનેસ કહે છે. આ પ્રથમ બીમારી બાદ એચ.આઇ.વી.ની તપાસ પોઝિટિવ બતાવે છે. શરૂઆતનાં આ ૬થી ૮ અઠવાડિયાં દરમિયાન એચ.આઇ.વી.ની લૅબોરેટરી-તપાસમાં નકારાત્મક પરિણામ બતાવે છે પરંતુ દર્દી તેનો ચેપ અન્ય વ્યક્તિને આ સમયગાળા દરમિયાન ફેલાવી શકે છે. આ સમયગાળાને વિન્ડો પિરિયડ કહે છે. આ પ્રથમ બીમારી બાદ દર્દી ચિહ્નો વગરના એચ.આઇ.વી.વાહક તબક્કામાં પ્રવેશે છે. આ તબક્કો ૫થી ૧૦ વર્ષ જેટલો લાંબો હોઈ શકે છે. આ તબક્કાનો સમયગાળો દર્દીની તંદુરસ્તી, દર્દીની આદતો વગેરે ઉપર આધાર રાખે છે. ૩. આ તબક્કા બાદ દર્દીને રોગનાં અનેકવિધ લક્ષણો દેખાય છે, જેમ કે લસિકાગ્રંથિ ફૂલવી, વારંવાર યા તો સળંગ તાવ રહેવો, મોઢામાં, ગળામાં ચાંદાં પડવાં, ખોરાકની અરુચ થવી, બરોળ મોટી થવી, લાંબા સમય સુધી ખાંસી આવવી, વારંવાર ઝાડા થવા, વજન ઓછું થવું વગેરે. આ લક્ષણો દર્દીને વારંવાર કે સળંગ રહે તો તેના Jain Educatiલોહીની એ એચ.આઈ.વી ની તપાસ કરાવવાથી નિદાન થઈ શકે છે.
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy