SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો નબળી રોગપ્રતિકારક શક્તિ એક અગત્યનું કારણ છે તેથી રોગપ્રતિકારકશક્તિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. યોગ્ય પૌષ્ટિક ખોરાક લેવો, વ્યાયામ કરવો, સ્વચ્છતા જાળવવી, ગંદકીવાળી વસ્તુ-જગ્યાથી દૂર રહેવું અને પાણી ઉકાળીને પીવું વગેરે રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે અતિ જરૂરી છે. આ ઉપરાંત ઘરમાં કે કામ કરવાની જગ્યાએ ચેપી રોગના દર્દી હોય તો તેનાથી સાચવવું. દર્દીનાં સગાંવહાલાંને ડૉક્ટર સાવચેતીના પગલાંરૂપે ક્યારેક એન્ટિબાયોટિક અથવા બીજી દવા આપતા હોય છે જેથી વ્યક્તિની રોગપ્રતિકારક-શક્તિ વધે છે માટે આવી દવાઓ માટે આનાકાની કરવી જોઈએ નહીં. ખૂબ વધારે પડતો શારીરિક શ્રમ (શરીર ઘસાઈ જવું) કરવો નહીં અને માનસિક થાક લાગે નહીં તે જોવું. એઇડ્રગ્સને અટકાવવાના ઉપાયો હવે પછીના પ્રકરણમાં જોઈશું. તેમાં જણાવ્યા પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત બહારના અસ્વચ્છ અને હલકી ગુણવત્તાવાળા ખોરાક તેમ જ પ્રવાહીઓથી દૂર રહેવું. | વિવિધ રોગો માટેની રસી (vaccine) દા.ત. બીસીજી, પોલિયોની રસી, ટ્રીપલ વેક્સીન વિ. તબીબી સલાહ પ્રમાણે લેવા જોઈએ. આ વિશે વધારે જાગૃતિની જરૂર છે. અંતમાં, રોગપ્રતિકારક-શક્તિમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા અને જરૂરી સાવચેતી રાખવી તે અત્યંત જરૂરી છે. અંગ્રેજીમાં ઉક્તિ છે કે "Prevention is better than cure" (સારવાર કરતાં સાવચેતી વધારે સારી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy