SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મગજના ચેપી રોગો મેનિન્જાઈટિસ, એન્સેફેલાઈટિસ ૧૫૩ ફૂગને માટે મુખ્યત્વે એમ્ફોટેરેસીન, ફલૂસાયટોસીન, ફલૂકોનાઝોલ, વોરીકોનાઝોલ અને સ્પારનૉક્સ જેવી વગેરે દવા વાપરવામાં આવે છે. આ દવાઓની કિડની (મૂત્રપિંડ), યકૃત અને કાન વગેરે ઉપર ઘણી આડઅસર થતી હોય છે તેથી તેને ખૂબ સાવચેતીપૂર્વક વાપરવી જોઈએ. (૪) વાઇરસ એન્સેફેલાઇટિસઃ આ એકઝડપથી થતી બીમારી છે જેમાં દર્દીને તાવ આવે, માથું દુખે, એકાએક વર્તણૂકમાં ફેરફાર થવા માંડે કે ડિપ્રેશન આવે, પ્રકાશથી ડર લાગે. પછી ખેંચો શરૂ થાય, લકવો થાય કે દર્દી બેભાન થાય. મગજના કૉર્ટેક્સને ઊધઈની જેમ ઝડપથી કોરી ખાતો આ રોગ કોષોનો નાશ કરે છે અને ઘણી વાર તેની કાયમી રહી જતી અસરો છોડી જાય છે, જેમ કે યાદદાસ્ત ઓછી થવી, ખેંચો આવ્યા કરવી AP -13 ant અને વર્તન બદલાયેલું રહેવું. | વાયરલ એન્સેફેલાઈટિસ મોટા ભાગે ગાલપચોળિયાનો વાઇરસ (મમ્સ), હર્પિસ સિપ્લેક્સ વાઇરસ, (Asv-1), આર્બો વાઇરસ અને ક્યારેક વેરિસેલા, એસ્ટિન બાર, એન્ટરો વાઈરસ – આમાંનો કોઈ વાઇરસ કોઈ કારણસર મગજમાં પ્રવેશે તો વાઇરસ એન્સેફેલાઈટિસ થાય. એઇટ્સનો વાઇરસ પણ આવો એન્સેફેલાઈટિસ કરે. ક્વચિત્ કેટલાક વાઇરસ ફક્ત મગજનાં આવરણોને અસર કરે છે જેને વાઇરલ મેનિન્જાઇટિસ કહેવાય. આ બીમારી પ્રમાણમાં હળવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy