SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો વાઇરસના રોગો અતિશય ખતરનાક નીવડી શકે, જેમ કે હર્પિસ એન્સેફેલાઈટિસના રોગમાં યુ.એસ.એ.માં પણ આશરે ૧૦થી ૪૦ ટકા દર્દીઓ મૃત્યુ પામે છે અને એટલા જ પ્રમાણમાં તેમને રોગની અગાઉ જણાવેલી ખોડ-અસરો રહી જાય છે. • નિદાન : - કમરના પાણી(cs)ના રિપોર્ટમાં પ્રોટીન થોડા વધેલા હોય છે, સુગર લગભગ નોર્મલ હોય છે અને લિમ્ફોસાઇટ્સ નામના શ્વેતકણો વધુ હોય છે. ઇમ્યુનોલૉજિકલ ટેસ્ટ દ્વારા ઘણી વાર વાઇરસની હાજરી જાણી શકાય છે, જેમકે csFHsv ટેસ્ટ; ક્યારેક cs-PCR ટેસ્ટ દ્વારા આની ખાતરી કરી શકાય. યોગ્ય કેસમાં એમ.આર.આઈ. કે સી.ટી. સ્કેન અથવા ઈ.ઈ.જી. કરવામાં આવે છે. જો આ રોગનું યોગ્ય નિદાન થાય તો તાત્કાલિક કેટલીક દવાઓ જિંદગી બચાવી શકે અને ખોડખાંપણથી દૂર રહી શકાય દા.ત. હર્પિસ એન્સેફેલાઈટિસમાં એસાઇક્લોવિર (ઝોવીરેક્ષ, વીર, એસીવીર)નાં ઇંજેક્શન વાપરવામાં આવે છે. દરેક દવાની જેમ આ દવાની રોજની માત્રા અને તે કેટલી વાર વખત લેવી તે જે તે નિષ્ણાત ડૉક્ટર નક્કી કરે છે. તેની આડઅસરો જોકે બહુ નથી પણ તે બાબતનું ધ્યાન રાખવું પડે. આ સિવાય સી.એમ.વી. જેવા અનેક બીજા વાઇરસ મગજને એક યા બીજી રીતે તકલીફ કરી શકે જેનું નિરૂપણ સ્થળસંકોચને કારણે અહીં કરવું શક્ય નથી. એ જ રીતે મગજના કેટલાક વાઇરસો જેને સ્લો-વાઈરસ કહે છે તે ધીમે ધીમે મહિનાઓ-વર્ષોમાં મગજના કોષોનો નાશ કરે છે આમાં એસ.એસ.પી.ઈ. (સબએક્યૂટ સ્કુલેરોઝિંગ પાનએન્સેફેલાઈટિસ), જેકોબ-ક્રૂઝફેક્ટ ડીસીઝ મુખ્ય છે. કમનસીબે, આમાંના કોઈ રોગની દવાઓ ઉપલબ્ધ નથી. થોડી રાહત થાય તેટલી દવાઓથી જ ચલાવવું પડે છે અને મોટા ભાગના આવા સ્લોવાઇરસના કેસમાં દર્દી અંતે મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy