SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ્રા-વિકાર અને સારવાર ૧૪૧ વયસ્ક વ્યક્તિમાં આ વિકાર અસામાન્ય હોય છે અને તે કોઈ માનસિક બીમારી કે પછી કોઈ દવાની આડ અસર હોઈ શકે. ક્વચિત નિદ્રામાં ચાલવા દરમિયાન પડી જવાથી વાગી જાય અથવા મૃત્યુ થાય તેવી દુર્ઘટના પણ બની શકે અથવા તો દર્દી અજાણપણે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ ફસાઈ જાય તેવું પણ બની શકે. કોઈ લાગણીશીલ બનાવ કે ભય અથવા તો હિંસક વર્તન થઈ શકે, કોઈ વાર ડર લાગે અને હૃદયની ધડકન વધી જાય. સારવારમાં ૦.૫ કે ૧.૦૦ મિ.ગ્રા. ક્લોનાઝેપામ આપી શકાય. ઊંઘમાં બીક લાગવી-(Sleep Terrors) : - બાળપણમાં થાય છે. – નિદ્રાનાં ૩ કે ૪થા તબક્કામાં આવું થાય છે. બાળક એકદમ જ ઝબકીને જાગી જાય છે અને તેનાં શ્વાસોચ્છ્વાસ ઊંડા તથા ઝડપી બની ગયેલા હોય છે; સાથેસાથે બાળક ડરી ગયેલું હોય છે. આવા બાળકમાં ‘ઊંઘમાં ચાલવાનું' લક્ષણ પણ હોઈ શકે છે. ડાયાઝેપામ તથા અન્ય કેટલીક દવાઓ આ રોગને અંકુશમાં રાખવા માટે મદદરૂપ થઈ શકે છે. ઊંઘમાં-જર્ક/ઝટકા આવવા-(Sleep Starts) : ઊંઘ આવે છે ત્યારે કે કેટલાંક ચલન-બિંદુઓ સતેજ/ઉત્તેજિત થાય છે, જેથી મોટા પ્રમાણમાં શારીરિક જર્કસ્/ઝટકા આવે છે અને વ્યક્તિ જાગી જાય છે. દુઃસ્વપ્ન/બિહામણાં સ્વપ્ન આવવાં (Nightmares) : ', નિદ્રામાં REM તબક્કામાં આવે છે. ખાસ કરીને જ્યારે દારૂ કે અન્ય નિદ્રાપ્રદ દવાઓ બંધ કરવાથી, REM તબક્કો નિયંત્રિત કરાયો હોય ત્યારે આવાં પ્રકારનાં સ્વપ્ન આવે છે. આવાં સ્વપ્ન કોઈ એકાકી ઘટનાને અનુરૂપ પણ હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy