SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો કારણો : તાવ આવવાથી ચયાપચય ક્રિયા બરાબર ન હોય તો, ડરામણી વાતો સાંભળવાથી અથવા તો ડરામણી ટેલિવિઝન સિરિયલ કે સિનેમા જોવાથી, વારંવાર માથાનો દુઃખાવો થઈ આવતો હોય તેવા કેસમાં, બીટા બ્લોકર પ્રકારની દવાની આડઅસર રૂપે વગેરે ૧૪૨ ઊંઘમાં દાંત કચકચાવવા (Sleep Bruxism) : રાત્રે ઊંઘમાં જ દાંત કચકચાવાય છે. – તે આપોઆપ જ થાય છે. ઊંઘમાં પેશાબ થઈ જવો (Nocturnal Enuresis) : — – બાલ્યાવસ્થામાં તથા કિશોરાવસ્થામાં ઊંઘમાં પેશાબ થઈ જાય છે. – દિવસ દરમિયાન પેશાબ રોકી રાખવાથી આવું થાય છે અને પુખ્તાવસ્થામાં પણ ચાલુ રહે છે. – સૈદ્ધાંતિક દૃષ્ટિએ-મૂત્રાશયની અથવા તેનું નિયમન કરતા જ્ઞાનતંતુઓની (spina bifida) વિકૃતિ હોવી. સામાન્ય વ્યક્તિ કરતાં મૂત્રાશયની કાર્યશક્તિ ઓછી હોય છે. આવા દર્દીઓમાં મૂત્રાશયમાં થતું દબાણ સામાન્ય કરતાં વધારે હોય છે. સારવાર-દા : રાત્રે સૂતી વખતે ઇમિપ્રામીન. મૂત્રાશયને ટેવ પાડતી કસરત કરવી. - – ગંભી૨ કિસ્સામાં નાકમાં છાંટવાની દવા-ડેસ્મોપ્રેસીન સ્પ્રે (spray) — (૬) માનસિક તેમ જ દૈહિક પરિસ્થિતિ સાથે સંકળાયેલ નિદ્રાનાં વિકારો : (A) માનસિક વિકૃતિ, મનોરોગી, ચિંતા, ઉચાટ, દારૂ સાથે સંકળાયેલ. (B) મગજની વિકૃતિઓ, ઉન્માદ, પાર્કિન્સનનો રોગ, એપિલેપ્સી, સ્મૃતિભ્રંશ સાથે સંકળાયેલ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy