SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો • મતિભ્રંશ-સ્મૃતિભ્રંશ રોગમાં વ્યક્તિની યાદશક્તિ, વિચાર-શક્તિ અને ભાષા તથા વ્યવહારમાં ખામી ઉત્પન્ન થાય છે. સ્મૃતિભ્રંશનાં કારણો અનેક છે, પરંતુ મોટા ભાગનાં (૮૦%) દર્દીઓમાં આલ્ઝાઇમર્સ અને વાસ્કયુલર ડિમેન્શિયા જોવા મળે . આલ્ઝાઈમર્સ ડિમેન્શિયામાં ભાષાની તકલીફ, યાદશક્તિનો ઘટાડો, ડિપ્રેશન, રોજબરોજના વ્યવહાર કરવામાં અસમર્થતાથી રોગ વધીને અંતમાં દર્દી સંપૂર્ણપણે પરાવલંબી બની જાય છે. આ રોગની નિશ્ચિત દવાઓનું સંશોધન હજુ સુધી સંપૂર્ણતઃ સફળ થયું નથી, પરંતુ રોગનાં લક્ષણોની તીવ્રતા ઘટાડી શકે તેવી દવાઓ ઉપલબ્ધ છે. • મગજની કાર્યક્ષમતા વધારવા માટે તણાવનું નિયંત્રણ કરવું, ધ્યાન અને યોગની સાધના કરવી, પૂરતી ઊંઘ લેવી, નશીલા પદાર્થો (દ્રવ્યોનું સેવન બંધ કરવું. શારીરિક અને માનસિક વ્યાયામ કરવો, સમતોલ આહાર લેવો અને હકારાત્મક અભિગમ અપનાવવો ખૂબ જ જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy