SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૫ સ્મૃતિભ્રંશ - મતિભ્રંશ (ડિમેન્શિઆ) યાદશક્તિ વધારવાના ઉપાયો (૨) અરગોટ જૂથની દવાઓ જેમ કે સર્મિઅન, હાઈડરજિન, સેરેલૉઇડ (૩) નવી વિશિષ્ટ દવાઓ જેવી કે રિવાસ્ટિમિન, ડોનેપેઝિલ, ગેલામર મેમેન્ટીન કોગ્નેક્સ...વગેરે.. આલ્ઝઇમર ડિમેન્શિઆમાં આપી શકાય. (૪) પિરાસિટામ જેમ કે નોર્માબ્રેઇન, ન્યુટ્રોપિલ, સેરેસિટામ અથવા એન્સેફેબોલ દવાઓ • સ્મૃતિભ્રંશન અટકાવ અને મગજની કાર્યશક્તિનું રક્ષણ-વર્ધન એવું માનવામાં આવે છે કે મોટી ઉંમરે માણસના મગજના કોષો ઘસાય છે અને યાદશક્તિ મગજશક્તિ ઓછી થતી જાય છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. સંશોધનો દ્વારા હવે એવું શોધી કઢાયું છે કે જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો પુખ્ત કે વૃદ્ધ વ્યક્તિઓના મગજમાં પણ નવા ચેતાકોષો અને કોષિકાઓનો વિકાસ થઈ શકે છે. યાદશક્તિ છેક સુધી સારી રાખી શકાય છે. મગજને કાર્યાન્વિત કરવા માટે રક્તનો સંચાર જરૂરી છે. તે માટે શરૂઆત સવારથી જ કરો, થોડું જૉગિંગ કરો, જેથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બને છે. પરિણામે મગજને લોહી અને ઑક્સિજનનો પુરવઠો વધારે મળશે અને ચેતાતંત્ર જાગૃત થશે. કસરત બાદ નાસ્તો લેવામાં કાળજી રાખો. ચરબીવાળા પદાર્થોના બદલે કાર્બોહાઇડ્રેટવાળા (લૂકોઝ બેઈઝવાળા) પદાર્થો વધુ પસંદ કરો. ઑફિસ કે કામકાજના સ્થળે દર એકથી દોઢ કલાક કામ કર્યા પછી થોડી મિનિટો માટે વિશ્રામ કરો, લટાર મારો. સતત એક જ પ્રકારનું કામ કરતા મગજને ઓચિંતા જ બીજી દિશામાં વાળો જે મગજને વધુ સચેત બનાવે છે. - બપોરના ભોજનમાં પણ કાર્બોહાઇડ્રેટ ભરપૂર લો. ચરબી અને પ્રોટીનવાળો આહાર પ્રમાણસર લેવો. ખોરાક લીધા પછી મગજને લોહીનો પુરવઠો ઓછો મળતો હોય છે જેથી ઊંઘ આવવા લાગે છે, તેથી જરૂર પૂરતો જ ખોરાક લેવો. સમયાંતરે હળવી કસરત કરી લેવી. શરીર બેઠાડુ રહે તો સ્થૂળ થઈ જાય તેમ મગજને પણ એવું જ છે. કેક્યુલેટર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy