SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો • દર્દી જોડે વાતચીતનો વ્યવહાર રાખવો અત્યંત જરૂરી છે, જેથી દર્દીની સંવેદનાઓ જળવાઈ રહે. હરવા-ફરવા અને આરામ માટે દર્દીને ખાસ બંધન ન લાગે તે રીતે નિત્યક્રમ ગોઠવી આપવો પડે. આ ઉપરાંત નવી દવાઓ જેમ કે રિવાસ્ટિશ્મિન, ગેલન્ટામીન અને ડોનેપેઝિલ વાપરી શકાય. તે ઉપરાંત એન્ટિપ્લેટલેટ પ્રકારની દવા દર્દીના રોગના કારણ મુજબ આપી શકાય. વારસાગત રીતે આવતાં આલ્ઝાઇમર કે બીજા ડિમેન્શિયામાં તેમનાં નજીકનાં સગાંઓ (પુત્ર, પુત્રી, ભાઈબહેન વગેરે.) એટલે કે સ્વસ્થ વંશજોની પહેલેથી તપાસ કરવી કેટલે અંશે વાજબી કે વ્યવહારુ છે તે એક વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. પરંતુ કેટલાક દેશોમાં આવી સવલતો ઉપલબ્ધ છે કે જનીનોની તપાસ (આનુવંશિક લક્ષણો-ચિહ્નોની તપાસ) દ્વારા આ રોગ આ વ્યક્તિને ભવિષ્યમાં વારસાગત રીતે થશે કે નહિ તે પ્રમાણમાં સચોટ રીતે જાણી શકાય. ઘણી વાર ડિમેન્શિયા જેવાં લક્ષણો માનસિક તનાવની સ્થિતિમાં થાય છે જેમાં ખરેખર તો ડિપ્રેશન કે સ્ટ્રેસ જ કારણભૂત હોય છે તેને સુડોડિમેન્શિયા કહે છે. યોગ્ય ન્યુરોલૉજિકલ તપાસથી જ તે જાણી શકાય છે; તેની ચિકિત્સા પ્રમાણમાં સરળ છે. આ રોગ કાબૂમાં આવી શકે છે એટલે કે તેની અસરો લાંબો સમય રહેતી નથી અને વધતી જતી પણ નથી. કેટલાક મેડિકલ રોગોમાં પણ વત્તેઓછે અંશે યાદદાસ્ત, વ્યવહાર, વ્યક્તિત્વ વગેરેમાં અસર આવી શકે છે. ત્યારે કેટલીક વાર ભૂલથી આલ્ઝાઇમરનું નિદાન થતું જોવામાં આવે છે દા.ત. થાઈરોઈડની ક્ષમતા ઘટવી (હાઇપોથાઇરૉઇડીઝમ), વિટામિન Bઝની ઊણપ, કેટલાંક કોલેજન ડિઝિઝ જેમ કે એસ.એલ.ઈ. વગેરે. • દવાઓઃ દર્દીના રોગના કારણ મુજબ યોગ્ય દવાઓ આપી શકાય, જેમ કે : (૧). એન્ટિપ્લેસ્લેટ : વાક્યુલર ડિમેન્શિયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy