SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિભ્રંશ - મતિભ્રંશ (ડિમેન્શિઆ) યાદશક્તિ વધારવાના ઉપાયો ૧૨૩ - આ રોગની શરૂઆત અચાનક થઈ શકે અથવા તેમાં ધીમે ધીમે ઉત્તરોત્તર (stepwise) વધારો થઈ શકે. શરૂઆત મોટે ભાગે યાદશક્તિ (ખાસ કરીને નજીકના ભૂતકાળને લગતી) ઘટવાથી થાય છે. રોગનાં લક્ષણો અને દર્દીની માનસિક સ્થિતિમાં વધઘટ થતી રહે છે. આમ છતાં રોગ વિશેની સભાનતા, આલ્ઝાઇમર્સ ડિમેન્શિઆના દર્દીઓ કરતાં વધારે હોય છે. દર્દીનું મૂળભૂત વ્યક્તિત્વ પણ વત્તેઓછે અંશે જળવાઈ રહે છે. પણ રોગ આગળ વધતાં દર્દીની હાલત ઘણી કથળી જાય છે. સાથે લકવાની અસર પણ હોઈ શકે, પરંતુ કઈ નળીઓ પર અસર છે તેના પર આ બાબત આધારિત છે. દર્દીનાં ઉપર જણાવ્યા મુજબનાં લક્ષણો ઉપરાંત સી.ટી. સ્કેન, એમ.આર.આઈ., એમ.આર.ઍન્જિઓ દ્વારા નિદાન ખૂબ સચોટ રીતે થઈ શકે છે. આ રીતે આલ્ઝાઇમર્સની સરખામણીમાં નિદાન ખૂબ સરળ છે. તે ઉપરાંત લોહીમાં ચરબીનું પ્રમાણ, ડોકની નસોનું કેરોટિડ ડોપ્લર, હૃદયનો દ્વિપરિમાણી (ટુ-ડી) ઈકો વગેરે પરિક્ષણો નિદાનમાં વિશેષ સહાયભૂત થતાં હોય છે. લોહી પાતળું પાડવાની દવાઓ ઉપરાંત આ રોગને થતો અટકાવવા માટે બ્લડપ્રેશર, ડાયાબિટીસનું કડક નિયંત્રણ તથા ખોરાકનું નિયમન અને નિયમિત કસરત વગેરે અનિવાર્ય બની રહે છે. ક્યારેક ક્યારેક આલ્ઝાઇમર્સ અને વાક્યુલર ડિમેન્શિઆ સાથે પણ થઈ શકે છે. મતિભ્રંશ-સ્મૃતિભ્રંશના દર્દીઓની સાર-સંભાળ : • આ રોગના દર્દીઓ માટે તેમને સરળ પડે અને બને એટલા સ્વાવલંબી રહી શકે તેવી દિનચર્યાનું આયોજન કરવું જોઈએ. • સાથેસાથે દર્દીની સુરક્ષા માટે પણ પૂરતાં પગલાં ભરવાં પડે. • નહાવું, ધોવું અને કપડાં પહેરવાં, ભોજન લેવું જેવા નિત્યક્રમોમાં દર્દીની અવસ્થા અનુસાર યોગ્ય મદદ કરવી પડે. • યાદશક્તિમાં મદદરૂપ થઈ શકે તેવી બાબતો શોધી દર્દીને બને ત્યાં સુધી અવઢવમાંથી ઉગારી શકાય, જેમ કે લખવા માટે ડાયરીનોંધપોથી આપવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy