SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો માણસની નેતૃત્વશક્તિ, નિર્ણયશક્તિ તથા વિશેષ બુદ્ધિમત્તાને પહેલાં અસર થાય છે. એના વ્યક્તિત્વ અને વર્તનમાં બહુ બદલાવ આવી જાય છે. એવું લાગે જાણે પહેલાં હતો એ આ માણસ જ નથી. અલ્ઝાઈમર રોગથી જુદી બીજી એક વાત એ છે કે આ રોગમાં યાદદાસ્ત સંગ્રહ (Memory storage) અને રસ્તાઓની પરખ ઘણા સમય સુધી બરાબર રહે છે. આ રોગના ત્રણ પ્રકાર છે. (૧) Frontal variant. (2) Primary progressive aphasia (3) Semantic dementia આ રોગનાં સમૂહ લક્ષણો-ચિહ્નો સહિત એમ.આર.આઈ. નામની તપાસ દ્વારા આ રોગનું નિદાન થઈ શકે છે. જેમાં ફ્રન્ટલ લોબ અને/અથવા ટેમ્પોરલ લોબનું સંકોચન (atrophy) દેખાય છે. આ સંકોચનનું પ્રમાણ દર્દીના રોગની ગંભીરતા મુજબ હોય છે. પરંતુ કેટલાંક દર્દીઓમાં રોગની શરૂઆતમાં એમ.આર.આઈ. નોર્મલ પણ હોય છે. આ રોગમાં જનીનની ખામી પણ જોવા મળી છે, જેમાં MAFT જનીનમાં મ્યુટેશન અથવા ૧૭ નંબરના રંગસૂત્રમાં પ્રોગ્રેન્યુલિનમાં મ્યુટેશન જોવામાં આવી છે. આ રોગની કોઈ ચોક્કસ સારવાર નથી. (૩) Vascular Dementia : વાક્યુલર ડિમેન્શિયા - મલ્ટિ ઇન્ફાર્કટ ડિમેન્શિયા (MID): મગજના નાના નાના ભાગમાં લોહીનું પરિભ્રમણ ઘટવાથી તે ભાગોના કોષો નાશ પામે છે ત્યારે આ સ્થિતિ ઉત્પન્ન છે. લોહીનું દબાણ વધવાથી, નાની નાની રક્તવાહિનીઓ તૂટવાથી અને લોહીના ઝીણા ગઠ્ઠા દ્વારા નાની રક્તવાહિનીઓમાં અવરોધ પેદા થવાથી મગજના કેટલાક ભાગોમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે અથવા બંધ થઈ જાય છે. અનેક જગાએ આવી ક્ષતિઓને કારણે MID થાય છે. હાઈ બ્લડપ્રેશર (High B.P)ના કારણે ધમનીઓ ક્ષતિગ્રસ્ત કે સાંકડી થઈ જાય છે. એમાં લોહીના ઓછા પરિભ્રમણને કારણે પણ આ રોગ થઈ શકે છે. (Deep white matter changes) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy