SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ સ્મૃતિભ્રંશ - મતિભ્રંશ (ડિમેન્શિઆ) યાદશક્તિ વધારવાના ઉપાયો ઉપલબ્ધ છે. પ્રથમ વધુ વપરાતી ટેક્રીન (કોગ્નેક્સ) દવા તેની આડઅસરને લીધે હવે ઓછી વપરાય છે. સ્ટેટીન ગ્રૂપની દવાઓ (Atorvastatin વગેરે)નો ઉપયોગ સામાન્ય રીતે લોહીની ચરબી ઘટાડવા માટે થાય છે. પરંતુ આ દવાઓ અલ્ઝાઈમર ડિમેન્શિયામાં પણ ઉપયોગી જણાઈ છે. બીજી નવી દવા/પદ્ધતિ જેમાં જિનેટિક એન્જિનિયરિંગ તથા ક્લોનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે હજી પ્રાયોગિક કક્ષામાં છે. આલ્ઝાઇમર્સ રોગ માટે રસી (વેકસીન) પણ તૈયાર કરવામાં આવી રહી છે. આપણા દેશમાં આ બધી ખર્ચાળ પદ્ધતિઓ હજી વિકસી નથી. પિરાસિટામ (નામબ્રેિઈન, રોપીલ) જિન્કો બીલોબા તથા અરગટ ગ્રૂપની દવાઓ આપણે ત્યાં વધુ પ્રચલિત છે. (૨) Frontotemporal Dementia : (ઇંટોટેમ્પોરલ ડિમેન્શિયા) 'વિસ્મૃતિના રોગોમાં આલ્ઝાઇમરના રોગ પછી આ એક મહત્ત્વનો રોગ છે. આમાં ફ્રન્ટલ લૉબ અને ટેમ્બપોરલ લોબના કોષો ક્રમશઃ નાશ પામે છે. તેનાં લક્ષણોને મુખ્યત્વે બે સમૂહોમાં વર્ગીકૃત કરી શકાય. વ્યવહારનાં લક્ષણો કે વ્યક્તિત્વમાં બદલાવ તથા Executive (નેતૃત્વ) Function સંબંધિત સમસ્યાઓનાં લક્ષણ. - વ્યવહારનાં લક્ષણોમાં આળસ-સુસ્તી, અયોગ્ય વર્તન, ઉદાસીનતા તથા પોતાની જાતની દેખભાળ ના રાખી શકવી વગેરેનો સમાવેશ થાય છે. જટિલ કૌશલ્ય (Complex Executive Tas) દર્શાવવામાં દર્દી અસક્ષમ બને છે. આ રોગમાં દર્દીની ભાષા પર પણ અસર થાય છે. ઘણા દર્દીઓનો વાપ્રવાહ સામાન્ય હોય છે પણ તેઓ કોઈ ચીજવસ્તુઓનાં નામ અને શબ્દ સમજવામાં મુશ્કેલી અનુભવે છે. જ્યારે કેટલાંક દર્દીઓની ભાષામાં વાક્યાત્મક ત્રુટિ આવે છે. અલ્ઝાઈમર રોગ જેવા જ લાગતા આ રોગમાં મુખ્યત્વે નીચેનો તફાવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy