SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો • લોહીના ટેસ્ટ, બ્લડશુગરનું પ્રમાણ, થાઇરૉઇડ ટેસ્ટ, પેરાથાઇરોઇડ ટેસ્ટ, યકૃત તથા કિડનીના ટેસ્ટ, વિટામિન બી-૧૨ તથા ફોલિક ઍસિડનું પ્રમાણ વગેરે પણ નિદાનમાં સહાય કરે છે, જે આ રોગના દર્દીઓમાં નૉર્મલ હોય છે. • ઈ.ઈ.જી દ્વારા જેકબ-ફ્રુટ્ઝફેટ ડિસીઝ તથા ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા જેવા રોગના નિદાનને સમર્થન મળે છે. • સી.ટી. સ્કેન, એમ.આર.આઈ. ઉપરાંત એમ.આર.ઍન્જિઓ, સ્પેક્ટ (Spect), પૅટ (Pet) જેવી ન્યુરૉઇમેજિંગ પદ્ધતિઓની પણ નિદાનમાં ક્યારેક જરૂર પડે છે. નવતર શોધખોળ આલ્ઝાઇમર્સનાં કારણો અને ઉપચાર માટે શોધખોળ ચાલુ છે. આશરે ૫%થી ૧૦% કેસોમાં આ રોગ વારસાગત હોય છે. દાખલા તરીકે દર્દીના ૧૯મા રંગસૂત્ર પર ઍપોલાઇપોપ્રોટીન ઈ-૪ જનીન હોય તો દર્દીના સંતાનોને આલ્ઝાઇમર્સ થવાની શક્યતા વધુ રહે છે. મગજના ન્યુરૉન્સ (કોષોમાં) ન્યુરૉફીબ્રિલરી ટેન્ગલ્સ બનવા, કોષોની બહાર બીટા એમાયલોઇડ્સ નામના પ્રોટીનના પ્લેક્સ જમા થવા તેમ જ તેના લીધે મગજના નાજુક કોષોને નુકસાન થવું અને સોજો આવવો તે આ રોગની એક પૅથોલૉજિકલ પ્રક્રિયા છે. પણ આવું કેમ થાય છે ? તે હજી સુધી શોધાયું નથી. પણ શક્ય છે કે APOE નામના પ્રોટીન અને TAU નામનાં બીજાં જૈવિક રસાયણ આ બધી પ્રક્રિયાઓ માટે જવાબદાર હોઈ શકે. નવું સંશોધન આ બધાંને અટકાવવાની દવાઓ શોધ્વા પર કેન્દ્રિત થયેલું છે. આલ્ઝાઇમર્સના દર્દીઓમાં ડોઝિલ (Donep, Alzil, Aricep) નામની દવા થોડી ઘણી અસરકારક છે. નવી વપરાતી દવામાં રિવાસ્ટિશ્મિન (Rivamer) અને તેને લગતી બીજી દવાઓનાં પરિણામ વધુ સારાં છે. યુરોપમાં ગેલેન્ટેમાઇન (Galamer) વધુ પ્રચલિત છે. ભારતમાં મેમેન્ટાઈન (Admenta, Mentra) નામની દવા સરળતાથી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy