SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કંપવાત (પાર્કિન્સોનિઝમ) ૧૧૩ ટૂંકમાં, પાર્કિન્સન રોગથી હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. શક્ય તેટલું વહેલું નિદાન, સચોટ સારવાર, નિષ્ણાત ફિઝિશિયન અથવા ન્યુરોફિઝિશિયનનું માર્ગદર્શન, સમૂહ ચિકિત્સા, ચૂપ થેરપી, કસરત-યોગ અને જરૂર પડ્યે સર્જરી વગેરે દ્વારા આ રોગને મહદ્ અંશે નાથી શકાય છે. અમદાવાદ મુંબાઈ જેવા શહેરોમાં પાર્કિન્સોનિઝમથી પીડાતા દર્દીઓનું ઍસોસિયેશન (સંગઠન-મંડળ) છે જે આ દર્દીઓને ઉપયોગી માહિતી પૂરી પાડે છે ગ્રૂપમાં યોગ-ધ્યાન, કસરત શીખવે છે અને સુંદર સેવાઓ પૂરી પાડે છે. પાર્કિન્સન-પ્લસ સિન્ડ્રોમ્સ : - પાર્કિન્સન જેવાં લક્ષણોવાળા નિગ્નલિખિત રોગોમાં સમયસર નિદાન કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે આ રોગોમાં પાર્કિન્સનની દવા ઝાઝી ઉપયોગી સાબિત થઈ નથી અને જો જલદીથી નિદાન કરીને યોગ્ય સારવાર ન અપાય તો આ રોગ બહુ ઝડપથી આગળ વધી જાય છે અને દર્દી પથારીવશ થઈ જાય છે. (૧) મલ્ટીસિસ્ટમ એટ્રોફી (MSA) : આ રોગમાં પાર્કિન્સનનાં થોડાંક લક્ષણો તો હોય જ છે. સાથે સાથે (અ) શારીરિક અસંતુલન, પડી જવું, બોલવામાં તકલીફ તથા હાથની ક્રિયાઓમાં પણ તકલીફ ઉદ્ભવે છે. નાના મગજનું કાર્ય બગડવાને કારણે આવું થતું હોય છે. (બ) અનુકંપી – પરાનુ કંપી તંત્ર (autonomic system) બગડવાથી એકદમ ઊભા થઈ જતાં બ્લડપ્રેશર ઘટી જાય છે. પેશાબ અટકે છે અથવા કપડામાં જ થઈ જાય છે. આમાં પાર્કિન્સન સિવાય પણ બે બીજાં તંત્રમાં મુસીબત ઉદ્ભવતી હોવાના કારણે આને મલ્ટીસિસ્ટમ એટ્રોફી કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy