SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો - આ પદ્ધતિનો એક ફાયદો એ છે કે તે ભાગોને કાયમી નુકસાન થતું નથી. વળી ઉત્તેજના ઓછીવત્તી કરવાથી પરિણામ બદલી શકાય છે. તેની આડઅસરો પણ ઓછી હોય છે પરંતુ તે અતિખર્ચાળ છે. એક બાજુની સર્જરીનો સ્ટિમ્યુલેટર સહિતનો ખર્ચ રૂ. ૪થી ૫ લાખ આવે. આ મશીન બંને બાજુ પણ મુકાવી શકાય. કેટલાક કેસોમાં ખર્ચ ઘટાડવા અને બીજાં કારણોસર એક બાજુ સ્ટિમ્યુલેટર અને બીજી બાજુ એબ્લેશન સર્જરી કરવામાં આવે છે. આમ કરવાથી શરીરની બંને બાજુ રોગ પ્રસરેલો હોય તો તેમાં સારી રાહત મળે છે. આ બધી સર્જરી આપણા સારા નસીબે આપણા દેશમાં પણ અમુક સેન્ટરોમાં ઉપલબ્ધ છે અને તેનો વ્યાપ વધતો જાય છે. પરદેશમાં તો વીમાના (મેડિકલ ઇન્શ્યોરન્સના) પ્રચલનને કારણે સર્જરી વધુ ઝડપથી વિસ્તરતી જાય છે. કોષ પ્રત્યારોપણ- સેલ ટ્રાપ્લાન્ટેશન સર્જરી : આ સર્જરી હજી પ્રાયોગિક તબક્કામાં છે તેમ કહી શકાય. આમાં એડ્રિનલ ગ્રંથિના કોષોને દર્દીના મગજમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. થોડા સમય પહેલાં, અર્ધવિકસિત ગર્ભના કોષોનું પ્રત્યારોપણ પણ ખૂબ પ્રચલિત થયેલ પરંતુ તેમાં કેટલાક તબીબી-કાયદાકીય તેમ જ નૈતિક પ્રશ્નો આવે છે. આ બધાં કારણોને લઈને આવી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી જોઈએ તેટલી પ્રચલિત નહીં થઈ શકે તેમ મારું માનવું છે. મેડિકલ તથા સર્જિકલ પ્રકારની આ સારવાર ઉપરાંત નિયમિત વ્યાયામ કરવો, આનંદમાં રહેવું, સમૂહમાં મળવું અને યોગોપચાર કરવો વગેરે પણ સફળ સારવારનાં ઉપયોગી પરિબળો છે, જે ચોક્કસપણે દર્દીની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy