SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ મગજ અને જ્ઞાનતંતુના રોગો આવે તો આધાશીશીના હુમલા આવતા ઓછા થઈ જાય છે. અત્યારે ટોપીરામેટ (TOPAMAC), વાલપ્રોયેટ, વગેરે દવાઓ વધારે પ્રચલિત છે. ક્યારેક બોટોક્ષનાં ઇન્જેક્શનો પણ માથામાં જ્યાં દુ:ખતું હોય ત્યાં આપવાથી લાભ થાય છે. કલસ્ટર હેડેકનાં કેસોમાં વેરાપામિલ, લિથિયમ, અને પ્રેડનીસોલોનનો પ્રયોગ કરાય છે. એની સાથોસાથ અગાઉ જણાવ્યા મુજબની આહારવિહારની કાળજી રાખવી જરૂરી છે. (૨) સ્પાસ્ટિક હેડેક આ દુખાવો આધાશીશી જેટલો જ અથવા તેથી પણ વધારે પ્રચલિત છે. નામ મુજબ સ્નાયુઓના ખેંચાણ અથવા ટેન્શનને લીધે આ પ્રકારનો દુખાવો થાય છે. આ દુખાવો ‘માથાને ફરતે કોઈ પટ્ટો બાંધ્યો હોય’ તેવો તથા એકધારો, બેટ્ટો અને ધીમો હોય છે અને લગભગ રોજ અથવા મહિનાના મોટા ભાગના દિવસોમાં તે થતો હોય છે. આ બધી રીતે તે માઇગ્રેનથી ઘણો જુદો પડે છે. શારીરિક તપાસ તથા ઍક્સ-રે, સી.ટી. સ્કેન આમાં પણ નૉર્મલ જ આવે છે. તેની સારવાર પણ આધાશીશીથી અલગ પડે છે. સૌ પ્રથમ તો દર્દીને શી બાબતનો તનાવ છે તે શોધી તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે કૌટુંબિક, સામાજિક, માનસિક, આર્થિક કે શારીરિક બીમારીનાં કારણો અગ્રભાગ ભજવે છે તેની દર્દી તથા તેનાં સગાસંબંધી જોડે મુક્ત મને ચર્ચા કરવી અને તેને દૂર કરવા ઉપાયો કરવા તે મુદ્દાની વાત છે. વિશેષમાં આગળ તનાવના પ્રકરણમાં લખ્યા મુજબ માનસિક શાંતિના તમામ ઉપાયો કરવાથી ઘણો જ ફાયદો થાય છે. કસરત, ધ્યાન, આસનો અને યોગનું આની સારવારમાં અગત્યનું પ્રદાન છે. જરૂર પડ્યે હિપ્નોસિસ, ઑટોસજેશન, બાયોફિડબેક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. ન્યુરૉલોજિસ્ટ, ફિઝિશિયન અને જરૂર પડ્યે સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટરની મદદ લઈ આ રોગમાં યોગ્ય દવા ઉપચાર તથા સાઇકોર્થેરપી કરવાથી ફાયદો થાય. ઉદાસીપણું તથા અતિચિંતાગ્રસ્તપણું દૂર કરવાની દવાઓની સાથે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy