SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આધાશીશી (માઈગ્રેન) અને માથાના અન્ય દુઃખાવા (શિરદર્દી) ૮૯ વ્યક્તિનો મૂડ સુધરે, પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ વધે તેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સ્નાયુઓની તંગ અવસ્થા અને ખેંચાણ ઓછું થાય તેવી દવાઓ ઉમેરવામાં આવે છે. વિશેષમાં આહારવિહારમાં યોગ્ય ફેરફારો તો ખરા જ. આમાં દુખાવાની દવાઓ ઓછી લેવી તે ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. દુખાવાની દવાઓના અનિયંત્રિત ઉપયોગથી આવા દુઃખાવા વકરતા જાય છે અને પછી દુખાવાની દવાની અસર થતી નથી, અને દવાઓની આડઅસર યકૃત તથા મૂત્રપિંડ પર થવા માંડે છે, લોહીના કોષો પર આડઅસર આવે છે. કોઈ વખત આવા દર્દીને દવાની આદત-બંધાણ થઈ જાય છે (Headache of drug abuse). તેથી ડૉક્ટરોએ આવા દર્દીની સારવારમાં ખૂબ કાળજી લેવી જોઈએ અને ધીરજથી કામ લેવું જોઈએ અને દર્દશામક દવા સિવાયના ઉપર જણાવેલા બીજા ઉપાયો પર ધ્યાન આપવું જરૂરી બને છે. (૩) માથાના દુખાવાનાં અન્ય કારણો અગાઉ જણાવ્યા મુજબના મગજના દુખાવાનાં અન્ય કારણોમાં મગજમાં ચેપ અને મેનિન્જાઇટિસના કિસ્સામાં તાત્કાલિક સારવાર કરવાથી દર્દીની જિંદગી બચી શકે છે. બ્રેઇન ટ્યૂમરનું નિદાન સી.ટી. સ્કેન અથવા એમ.આર.આઈ. દ્વારા થઈ શકે છે અને તે યોગ્ય સારવાર, સર્જરીથી તે મટી શકે છે. તેવી જ રીતે હેમરેજની યોગ્ય સઘન સારવારથી મોટા ભાગના કેસોમાં જિંદગી બચાવી શકાય છે. દુખાવો મટાડવાની વધુ પડતી દવાઓના સેવનથી કે ટેવ પડી જવાથી માથાનો દુખાવો વણસતો જાય છે. ક્યારેક માથાના દુખાવામાં એક કરતાં વધુ કારણો હોય છે, જેમ કે સાઈનુસાઈટીસ અને માઇગ્રેન. સાઈનુસાઈટીસ, આંખની તકલીફો વગેરે માથાના દુઃખાવાના સરળતાથી મટી શકે તેવા પ્રાથમિક રોગોનું નિરાકરણ અતિ જરૂરી છે. માથાના દુખાવાના ગંભીર કેસોમાં નીચેનાં ચિહ્નો સામાન્યતઃ સંકળાયેલાં હોય છે. આવા કેસોમાં તાત્કાલિક તપાસ તથા સારવાર મળે તો જિંદગી બચી શકે છે જે આ પ્રકરણનો મુખ્ય સંદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy