SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આધાશીશી (માઈગ્રેન) અને માથાના અન્ય દુઃખાવા (શિરદર્દ). ખોરાક તથા જીવનશૈલીમાં થયેલા ફેરફારથી પણ આધાશીશી થઈ શકે છે. તેથી આહારવિહારમાં નિયમિતતા, મનની શાંતિ અને પૂરતા આરામની આવશ્યકતા રહે છે. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તડકામાં ફરવું નહિ અથવા તડકામાં જવું જ પડે તો ગોગલ્સ પહેરવાં તેવી સૂચનાઓ ડૉક્ટરોએ હંમેશાં આપવી જોઈએ. ચૉકલેટ, ચીઝ, કૉફી, ચાઇનિઝ ફૂડ, ખાટાં ફળો, રેડ વાઇન વગેરે અનેક પ્રકારના ખોરાકથી આધાશીશીનો હુમલો થઈ શકે છે. કેટલીક વાર ભૂખ્યા રહેવાથી કે શરીરમાં પાણી ઘટી જવાથી ઉજાગરો કરવાથી કે માનસિક ટેન્શનથી પણ માઇગ્રેનનો હુમલો આવી શકે. ક્વચિત્ જાતીય સમાગમથી તો ક્યારેક વાતાવરણમાં ફેરફારથી અવાજ-ઘોંઘાટથી તેમ જ સ્ત્રીઓને ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી કે મેનોપોઝ દરમિયાન માઈગ્રેન વધી શકે છે. આવા તમામ પ્રકારના માઈગ્રેનના દર્દીઓની વિગતવાર શારીરિક તપાસ થવી જરૂરી છે. કેટલાક દર્દીઓમાં સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ. દ્વારા પણ નિદાન-સારવારનો નિર્ણય લેવામાં આવતો હોય છે. યોગ્ય દવાઓ તથા ઉપર જણાવ્યા મુજબ આહારવિહારના નિયમનથી જ રોગ કાબૂમાં આવી જઈ શકે. | મુખ્ય ઔષધો : (૧) હુમલા દરમિયાને લેવાનાં ઔષધોઃ હુમલો થાય તે સમયે તરત લેવાની દવામાં પેરેસિટેમોલ, ઊલટીની ગોળી, પીડાનાશક દવાઓ જેમ કે ઈબુપ્રોફેન પ્રકારની દવા અથવા કેટલાક કેસમાં અરગટોમાઇન નામની દવા મોઢેથી, ઈજેશન દ્વારા કે ગુદામાં સપોઝિટરી દ્વારા આપવાથી જ હુમલો ખાળી શકાતો હોય છે અથવા હુમલાની માત્રા ઘટે છે. નવી દવામાં સુમાટ્રિાન (ગોળી અથવા ઈન્વેક્શન), રીઝાટ્રિાન, નારાટ્રિાન વગેરે અસરકારક સાબિત થઈ છે. કલસ્ટર હેડેકમાં સુમાટ્રિટાન સાથે ૧૦૦% ઓક્સિજનનો પ્રયોગ પણ કરાય છે.. હુમલાને આવતો અટકાવવા માટેનાં ઔષધો : અન્ય પ્રકારનાં ઔષધો જેમ કે બીટાબ્લોકર અથવા ફલુનારિઝિન દવા. અથવા એમિટ્રિષ્ટિલીન દવાઓ જો લાંબો સમય લેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy