SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો આવે છે. આ સિવાય બીજાં સાદાં કારણોમાં ટેન્શન, દવાઓની આડઅસર, ‘ક્લસ્ટર હેડેંક’ વગેરે છે. આ પ્રકારના દુખાવામાં મગજની તપાસ સામાન્યતઃ નૉર્મલ હોય છે અને દર્દીને કોઈ ખોડખાંપણ કે પૅરૅલિસિસ થવાનો સામાન્ય રીતે ભય રહેતો નથી. આ ઉપરાંત ડિપ્રેશન, દાંરૂનું વ્યસન, ડોકના મણકાની બીમારી, શરદી-સાઈનુસાઈટીસ, આંખોની નબળાઈ કે ઝામરની બીમારી અથવા ન્યુરાલ્ફિઆ વગેરેથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. આ બધાંમાંથી વધારે જોવા મળતાં કારણોમાં આંખોની નબળાઈ, ટેન્શન હેડેક, સાઈનુસાઈટીસ, બ્લડ પ્રેશર, આધાશીશી વગેરેનો સમાવેશ થાય છે, પણ વ્યક્તિગત કેસમાં કોઈપણ કારણ હોઈ શકે. (૧) આધાશીશી (માઇગ્રેન) માઇગ્રેન-આધાશીશી એ ખુબ જાણીતો રોગ છે. તના અટક (હુમલા) દરમિયાન દર્દી ખૂબ જ પરવશ, પરેશાન અને લાચાર થઈ જતો હોય છે. પુખ્તવય ધરાવતી વીસેક ટકા વ્યક્તિઓને આ રોગ વત્તેઓછે અંશે થઈ શકે છે. આ રોગમાં મહિનામાં આશરે ૧થી ૬ વાર (ક્વચિત્ રોજ) માથાનો દુખાવો થઈ શકે, જે દુખાવો માથાની એક કે બન્ને બાજુ (જમણી અને ડાબી) પણ થતો હોય છે. આ દુખાવો તીવ્ર, લબકારા મારતા હોય તે પ્રકારનો નાડીબદ્ધ સણકા જેવો હોય છે, જે કામ ક૨વાથી વધે છે; ઘણી વાર ઊબકા આવે, ઊલટી થાય, આંખ સામે ઝબકારા, અંધારાં આવી શકે અને પ્રકાશ સામે બહુ જોઈ ન શકાય તથા અવાજ પણ સહન ન થાય. આ દુખાવો ૪ કલાકથી ૭૨ કલાક સુધી પણ ચાલે તેવું બની શકે. આવા પાંચ જેટલા ઍટૅક આવે તો દર્દીને માઇગ્રેન છે તેવું નિદાન થઈ શકે. સામાન્ય રીતે ઊલટી થઈ ગયા પછી અથવા આરામથી અથવા યોગ્ય દવા લેવાથી દુખાવો શમી જાય છે. આધાશીશી (માઇગ્રેન)ના પ્રકારો : (૧) કૉમન માઇગ્રેન (૨) ક્લાસિક માઇગ્રેન (જેમાં આંખ-દૃષ્ટિને લગતાં લક્ષણો હોવાં જરૂરી છે.) (૩) માઇગ્રેનની સાથે ક્ષણિક લકવો થવો. (૪) ક્લસ્ટર હેડેક (૫) કૉમ્પ્લિકેટેડ માઇગ્રેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy