SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ની ધ્યાન અને જીવન - બાકી મનની અવસ્થા બે જાતની - એક ચલ અને બીજી સ્થિર. શૂન્ય અવસ્થાવાળું મન નહિ, પછી કોઈ એમ માને કે હું પાંચ-દસ-પંદર મિનિટ મનને શૂન્ય રાખવાનો અભ્યાસ કરું છું, તો એ ભ્રમ છે. ત્યાં માત્ર દુન્યવી વસ્તુનો વિચાર અટકાવવાનો પ્રયત્ન છે. પરંતુ એ એવી વસ્તુ વિચારથી રહિત સ્થિતિ જેવા-ચિંતવવાનો પ્રયત્ન છે, એટલે એય એક જાતનો વિચાર જ છે, પછી મને શૂન્ય ક્યાં બન્યું ? આવા પ્રયત્નમાં પડવાના બદલે જ્ઞાનીઓએ આપેલા રાહે જ ચાલવું લાભદાયી થાય. એ રાહે ચાલવાનું આ, કે મનની શુભ ચલ અને સ્થિર અવસ્થાનો પ્રયત્ન રાખ્યા કરવો. પ્ર. – મનની ચલ અવસ્થા કઈ? ઉ. - ચલ અસ્થિર મનની અવસ્થા ત્રણ પ્રકારે હોય છે. (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિત્ત. સ્થિર મનની અવસ્થા એ ધ્યાન કહેવાય. (૧) “ભાવના એટલે જેનાથી આત્મા ભાવિત થાય એવી મનની અવસ્થા. આનાથી ધ્યાનની ભૂમિકા સર્જાય છે. દા.ત. “જ્ઞાન ભાવના એટલે કે વિનય બહુમાન વગેરે સાથે સમ્યગુ જ્ઞાનનો અભ્યાસ, જ્ઞાનની ધારણા, તત્ત્વદોહન આદિ મન દઈને આચરવામાં આવે તો એમાં રહેલા શુભ ભાવથી મન આત્મા એવો રંગાય છે, એવો ભાવિત બને છે કે પછી સ્થિર ધ્યાન માટે એ યોગ્ય બને છે. જે આનાથી ભાવિત ન હોય, તો પછી વિષયભાવિત મન વિષયોમાં ખેંચાઈ જવાથી ધ્યાનમાં એ સ્થિર ન રહી શકે. આ જ્ઞાનાભ્યાસ આદિમાં જે મનની ભાવિત થવાની ક્રિયા ચાલી એ ભાવના કહેવાય. એનાથી શુભ ધ્યાન માટેની યોગ્યતા ઊભી થાય છે, સામર્થ્ય ઊભું થાય છે. એથી ઊલટું, જો મિથ્યા જ્ઞાનના અભ્યાસ વગેરેમાં મન કામ કરતું રહે તો એથી પણ ધ્યાનની ભૂમિકા ઊભી થાય, પરંતુ તે અશુભ ધ્યાનની ભૂમિકા સર્જાય. વળી દર્શનભાવના' એટલે કે સમ્યગુ દર્શનની ભાવના કરે, એટલે કે જિનવચન પર ક્યારેય શંકા ન કરવી, મિથ્યા ધર્મની કાંક્ષા-આકર્ષણ થવા દેવું નહિ... વગેરે શંકા-કાંક્ષાદિ દોષ ટાળે અને શમ સંવેગ વગેરે તેમજ દેવ-ગુરુભક્તિ, ધર્મપ્રભાવના, ધૈર્ય... વગેરેમાં મન લગાડે, એનાથી આત્મા એવો ભાવિત થતો જાય કે પછી એ શુભધ્યાનને યોગ્ય બને. એમ ચારિત્રભાવનામાં મનને સમિતિ-ગુપ્તિમાં લગાડવાનું આવે. એમ વૈરાગ્યભાવના' એટલે કે જગતના સ્વભાવનું ચિંતન, નિર્મમતા, નિસંગતા વગેરેમાં મનને લગાડીને આત્માને એનાથી ભાવિત કરે, રંગાયેલો કરે, ત્યાં એ જગસ્વભાવ-નિરીક્ષણ આદિમાં રહેલી મનની અવસ્થાને વૈરાગ્ય ભાવના કહેવાય. આનાથી ભાવિત થયેલો આત્મા શુભ ધ્યાન માટે યોગ્ય થાય, સમર્થ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy