________________
- ન ધ્યાન અને જીવન | મહેલમાં બધી સગવડ સાથે રાખ્યા અને બે પુત્ર લવણ-અંકુશનો ખેમકુશળ જન્મ થયો, તો કેવું સુખ પર પ્રયાણ થયું?
નળ-દમયંતીએ સુખ-દુઃખ વચ્ચે કેવાં ઝોલાં ખાધાં ? શ્રીપાળકમાર કેવા ઘડી સુખમાં ને ઘડી દુઃખમાં મુકાયા ? હરિશ્ચંદ્ર-તારામતીને કેવાં ઊંચા રાજવી સુખ પરથી એકને મસાણનો રખેવાળ અને બીજીને પાણી ભરનારી ગુલામડી તરીકેના દુઃખ પર જવું પડ્યું?
આજનાં તમારા જીવનમાં તપાસો તો ક્યારેક કેવી સુખની લાગણી ? તો ક્યારેક કેવી મહાદુઃખની પોક? આજના વિચિત્ર સરકારી તંત્ર, વિચિત્ર બજારોની સ્થિતિ, અવનવી પરદેશોની હિલચાલ વગેરેમાં ચાર દિ' સુખ, તો પાંચમે દિ' દુઃખ ! પરાધીનપણે અનિચ્છાએ પણ સુખમાંથી દુઃખમાં થતાં સરકણ, સરકવાનું - એ જો નજર સામે રહે તો સંસાર કેવો બેહુદો લાગે ? પછી એની ઘટનાઓમાં મન શું બગાડવાનું થાય? દુર્બાન શા સારુ થાય? (૫) “સંસાર” એટલે એક ભાવમાંથી બીજા ભાવ પર સરકવાનું
ત્યારે સંસારમાં ભાવો પર કેવું સરક્યા કરવાનું થાય છે એ વિચારો. હમણાં ક્રોધના ભાવમાં, તો એમાં પાછા પડતાં નરમ થેંશ જેવા દીનતાના ભાવમાં ! હમણાં બૈરી-છોકરા પર રાગના ભાવ પર ચડ્યા, તો ઘડીક પછી એના એવા કોઈ બોલ કે કોઈ ચાલ જોઈને એના જ પર દ્વેષ-ક્રોધના ભાવ પર સરક્યા જ ! હમણાં સારા ધર્મના ભાવથી મંદિરે ચાલ્યા, પણ ત્યાં રસ્તામાં દલાલ કે ઘરાક મળતાં ઉપડ્યા વેપારના પાપ-ભાવ પર ! એમ હમણાં ઘરાક સારો માલ લેવાની આશા બતાવી, ત્યાં ચડ્યા લોભના ભાવ પર, પણ પછી એ નામંજુર કરતાં ઝટ ઊતર્યા માંડવાળના નિરાશાના ભાવ પર ! સારું જમતાં ચડ્યા ટેસના ખુશીના ભાવ પર, પણ પછી પેટ દુઃખતાં હાયવોયના કે પસ્તાવાના ભાવ પર ઊતર્યા હેઠે ! અથવા ખાવાની ચીજો વિષે ઓછી વધુ ખુશી-નાખુશીના ભાવ પર પલ્ટા.
આમ ભાવોના પલ્ટા તો કેટલાય ચાલ્યા જ કરે છે. એક ભાવ પર સ્થિર નહિ. હૈયે લાગણીઓના તરંગો સમુદ્રમાં મોજાંની જેમ નવા નવા ઊડ્યા કરે છે અને જુના અલોપ થઈ જાય છે. પલ્ટાતા સંયોગો, નિમિત્તો અને પરિસ્થિતિ એ ભાવો-લાગણીઓ-સંવેદનાઓમાં જીવોને ઘુમાવે છે. સંસારમાં જીવની કંગાળ દશા ઓળખો:
સંસાર નામ જ એનું છે કે ભવ-કર્મોદય-પુદ્ગલ-પ્રવૃત્તિ સુખ-દુઃખ અને ભાવોમાં જીવને સરકાવ્યા જ કરે ! ભમાવ્યા જ કરે ! ત્યાં જીવની કંગાળ ગુલામી દશા છે, જાણે એનું કોઈ મૂલ્ય જ નહિ ! મહત્ત્વ જ નહિ ! આવી ગુલામી દશાનું પહેલાં તો ભાન જ નહોતું, પણ અહીં જો હવે એ દશા સમજવા મળી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org