________________
ધ્યાન અને જીવન
ભાગ
-
૨
(ગ્રન્થનું અનુસંધાન :
આર્તધ્યાનના વિષયમાં વિચારણા શરુ થઈ કે પાપકર્મનો નાશ ત્રણ રીતે થાય, (૧) પાપનાં પ્રતિક્રમણથી, (૨) પાપકર્મના ભોગવટાથી, અને (૩) બાહ્ય-આભ્યન્તર તપથી. (જુઓ ધ્યાન અને જીવન ભા.૧-પૃ.૧૪૯) આમાં બાહ્ય તપની વિચારણા ‘લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિક’નાં વિસ્તૃત દૃષ્ટાન્ત સાથે થઈ. હવે અહીં આભ્યન્તર તપની વિચારણાથી ભાગ બીજો શરુ થાય છે.)
૧. આભ્યન્તર તપ -૧ પ્રાયશ્ચિત્ત
હવે આભ્યન્તર તપનો મહિમા જોઈએ. બાહ્યતપ એ આભ્યન્તર તપનું બળ વધારવામાં ઉપયોગી છે. બળવાન બનેલા આભ્યન્તર તપનું મહત્ત્વ ઘણું છે. આભ્યન્તર તપની પરવા ન હોય, ઉપેક્ષા હોય, તો કોરો બાહ્ય તપ એળે જાય છે, જુઓને,
Jain Education International
આભ્યન્તર તપનો પહેલો પ્રકાર ‘પ્રાયશ્ચિત્ત' એની પરવા ન રાખી તો લક્ષ્મણા અને રુક્મી સાધ્વીનાં કઠોર લાંબા બાહ્ય તપ એળે ગયા ! એમના આત્માને એ બચાવી શક્યા નહિ. સેવેલા દોષની ગાંઠ પડી ગઈ, એના પર માન કષાય ભભૂકતો રહ્યો, એથી અનેકાનેક દુર્ગતિના ભવોમાં ભટકવું પડ્યું. ત્યારે કહેવાય કે મન-વચન-કાયાનાં પાપોનું ગુરુ આગળ આલોચન-પ્રકાશન કરી પ્રાયશ્ચિત્ત લીધું ને વહ્યું હોય તો પાપ નષ્ટ થવાથી દુર્ગતિ અટકે.
પાપોનું પ્રાયશ્ચિત્ત એ દુર્ગતિનાં જન્મ અટકાવે છે, પરભવે બચાવે છે.
દુઃખદ પ્રસંગથી
વચનનાં પાપ પર દૃષ્ટાન્ત
એક ગરીબ માતાને દીકરાએ ગાળ દીધી કે ‘શું શૂળીએ ચડવા ગઈ હતી ?' અને સામે માતાએ સંભળાવ્યું કે ‘તારા કાંડા કપાઈ ગયા હતા ?’ તો આ વચનના પાપ પર બંને જણ પરભવે મહાદુઃખદ પ્રસંગમાં મૂકાયા; કેમકે પાપ કર્યું ખરું પણ પછી એનું પ્રાયશ્ચિત્ત ન કર્યું.
વસ્તુ એમ બની કે છોકરો મજૂરી કરી ઘરે આવ્યો, ભૂખ્યો થઈ ગયો છે. મા ઘરમાં નથી, મજૂરીએ ગઈ છે. પેલો ખાવા માટે ત્યાં શોધે છે, પણ કાંઇ ખાવાનું મળ્યું નહિ. ધુંઆકુંઆ થઈ ગયો, તે મા ઘરે આવતાં કહે છે ‘ક્યાં શૂળીએ ચડવા ગઈ હતી ? આ તારો સગલો ભૂખ્યો થશે એનું ભાન નહોતું ? તે કશું ખાવાનું કર્યું નથી ?’
'
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org