SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન - દિલ આપણું છે ને? એમાં કેવી લાગણીઓ ઉઠાડવી કે ન ઉઠાડવી એ બાપણા હાથની વાત છે. લાગણીઓ અને શુભ ધ્યાન પર આપણો અધિકાર છે. આ અધિકાર બજાવતાં ન આવડ્યો અને પૂર્વના અનંતા કાળની રમત મુજબ કષાયોની બેફામ લાગણીઓ તથા આર્તધ્યાન કર્યો ગયા, તો સમજી રાખો કે એક અંતિમ કાળ એવો આવી લાગવાનો છે કે જ્યારે એ બધી મેલી લાગણીઓ નિષ્ફળ જતી દેખાશે ! એની ખાતર એ લાગણીઓ તથા આર્તધ્યાન કર્યા, એ બધું છૂટી જતું દેખાશે અને આપણે ઉઠીને એકલા ખાલી હાથે પેલી મેલી લાગણીઓ ને દુર્ગાનના કુસંસ્કારોના અને પાપકર્મોનાં પોટલાં સાથે અહીંથી ચાલી જવું પડશે !! ત્યાં ચિત્તની અશાંતિનો પાર નહિ હોય. એટલે જ જીવનના અંત સમયની શાંતિ માટે અને કષાયોની નિષ્ફળતા પર રોવું ન પડે એ સાર. પહેલેથી જ આ અધિકાર બજાવતાં શીખવું જોઈએ કે “મારા દિલમાં મેલી લાગણીઓ ને આર્તધ્ધન ન ઉઠાડવા માટે અને એની ભયાનકતા નજર સામે રાખવા માટે હું અધિકારી છું. “દુધ્યાર્ન તથા કષાયો ભયંકર છે અને ક્ષમાદિ ઉત્તમ છે' - એ દૃષ્ટિ અને ક્ષમાદિ ભાવની રુચિ મારા દિલમાં જાગતી રહે એવું કરવા હું સ્વતંત્ર છું, એનો મને અધિકાર છે. આગળ વધીને ઉચ્ચ કોટિની ક્ષમા-ઉદારતાની લાગણી તથા શુભ ધ્યાન ઝગમગાવવા હું સ્વતંત્ર છું, હકદાર છું.” આપણા દિલ પર અને આપણી લાગણીઓ પર આ અધિકાર બનાવવાની જરૂર છે. મહાન કેમ થવાય છે? અધમ જીવો કરે એવી અધમ લાગણીઓથી દિલને ખરડીને મહાન ન થવાય. “ના, અમારા પૈસા વગેરે લુંટાઈ જતા હોય ત્યાં એવી ક્ષમાદિની લાગણીઓ નથી રાખવી, ભલે મહાન ન બનાય', એવું કહેતા નહિ. કેમકે, લુંટાવા ન લુંટાવાનું તો ભાગ્ય મુજબ બનશે, ત્યાં આ મેલી લાગણીઓનું કશું ચલણ નથી. કષાયો કરવાથી બગડેલું સુધરતું નથી, કે બગડતું અટકતું નથી. એ તો ભાગ્ય પર અવલંબે છે. બહુ તો કદાચ આપણો કાયિક, વાચિક પુરુષાર્થ બચાવ આપે. પરંતુ માનસિક મેલા ભાવ અને દિલમાં ઉઠાડેલા કષાયો તો માથે જ પડે છે. તો શા માટે એ ઉઠાડવા? બહારનું ધાર્યું બનવા પર આપણો અધિકાર નથી કે એમજ બને. ભાગ્ય અવળું હોય તો વિપરીત પણ બને. કિન્તુ અંતરમાં ધાર્યા સારા ભાવ ચલાવવા પર આપણો અધિકાર છે. એને આપણે આપણા દિલમાં જગાવી શકીએ. જીવ બે જાતના - (૧) અધમ માણસો એકલા બહારના વૈભવ-પરિવાર પર અધિકાર બજાવવામાં મગ્ન રહે છે, ત્યારે (૨) મહાન પુરુષો પોતાના મન પર હકુમત ચલાવતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy