SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા તથાગત વૈશાલીને આ છેલ્લી વાર જુએ છે.” ભગવાન મહાવીરે પણ પિતાના ૪૨ ચાતુર્માસમાંથી બાર જેટલા ચાતુર્માસ વૈશાલીમાં જ ગાળ્યા હતા. આમ વૈશાલી તથા ત્યાંના નગરજનો પ્રત્યે આ બંને સમકાલીન મહાપુરુષોને પ્રેમ દેખાઈ આવે છે. બુદ્ધને સત્કાર કરવા ઠાઠ-માઠ અને ધામધૂમથી વૈશાલીમાંથી નીકળી આવતા લિચ્છવીઓને જોઈને બુદ્ધે કહ્યું હતું કે, ભિક્ષુઓ! તમે ત્રાયવિંશ દેવને તેમની સુદના નગરીમાંથી નીકળી ઉધાનમાં જતા કદી પૂર્વે જેયા નથી, તો આ વૈશાલીના લિચ્છવીઓને જોઈ લે; તેઓ સમૃદ્ધિ અને ઠાઠમાઠમાં તે દેવોની સમાન છે. સેનાનાં છત્રો, સોને મઢેલી પાલખીઓ, સેને જડેલા રથ તથા હાથીઓ સહિત આ લિચ્છવીઓને જુઓ. નાના-મોટા-વચેટ સૌ ઉંમરના લિચ્છવીઓ આભૂષણોથી શણગારાઈ તથા રંગિત વસ્ત્રો પહેરી વિવિધ સુંદર ગતિપૂર્વક કેવા આવે છે?' બુદ્ધને જન્મ લેવા માટે કઈ નગરી ગ્ય છે તેની ચર્ચા કરતાં એક દેવે વૈશાલી નગરીનું વર્ણન આપતાં કહ્યું હતું કે, “આ વૈશાલી મહાનગરી ઉત્કર્ષ પામેલી, ક્ષેમ, સુબિક્ષ, રમણીય, મનુષ્યોથી ભરેલી, ઘર અને વાડાઓથી અલંકૃત, તથા પુષ્પ–વાટિકા અને ઉલ્લાનેથી પ્રફુલ્લિત છે. જાણે કે દેવાની રાજધાનીનું જ તે અનુકરણ કરે છે.' ૧. વૈશાલીના લિચ્છવીએ વૈશાલીના લિચ્છવીઓ વિષે પણ બુદ્ધને પ્રશંસાના જ શબ્દો કહેવાના હતા. “હે ભિક્ષુઓ! અત્યારે લિચ્છવીઓ લાકડાનું ઓશિકું કરે છે, અને પ્રમાદરહિત અને વીર્યવાન થઈને કવાયત શીખે છે. તેથી મગધનો રાજા વૈદેહીપુત્ર અજાતશત્રુ તેમનું મર્મ જાણુને તેમના પર ચડાઈ કરી શકતો નથી. હે ભિક્ષુઓ ભવિષ્યમાં લિચ્છવીઓ સુકુમાર થઈ જશે,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy