SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જન્મ નામ-સુ” હતા. “તે કલાગ સંનિવેશની પાસે જ્ઞાતૃવંશી ક્ષત્રિયનું શુતિ પલાશ નામનું ઉદ્યાન અને ચિત્ય પણ હતું; તેને નાચ-are-a-asiાળે કે નાય ગાળ-જ્ઞાતૃવંશીઓનું વન કે ઉદ્યાન કહેતા. આચારાંગમાં (૨. ૪. ૨૨) ૩-ક્ષત્રિય પુવૅનિશ, અથવા ઇ-ગ્રાહ્મણ-પુર-લૅનિશ એવા ઉલેખ આવે છે તે પણ સૂચવે છે કે, કુડપુરની (વૈશાલીની) ઉત્તરમાં ક્ષત્રિયને સંનિવેશ (પરું) હતા, અને કુડપુરની (વૈશાલીની) દક્ષિણમાં બ્રાહ્મણને સંનિવેશ (પરું) હતા. કલ્પસૂત્રમાં ક્ષત્રિયકુંડગ્રામ-નગર અને બ્રાહ્મણ-કુંડગ્રામ-નગર એ ઉલ્લેખ છે તેને અર્થ પણ વૈશાલીનું (ઉત્તરનું) “ક્ષત્રિોનું પરું', અને (દક્ષિણનું ) “બ્રાહ્મણનું પરું ” એ જ થાય. તિબેટની પર પરામાં બુદ્ધકાલીન વૈશાલીમાં સેનાના કલશવાળાં ૭૦૦૦ ઘરે, રૂપાના કલશવાળાં ૧૪૦૦૦ ઘરે, અને તાંબાના કલશવાળાં એકવીસ હજાર ઘરે ઉલ્લેખ છે. અને તે ત્રણ જુદા જિલ્લાઓમાં અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કુળના લેકે રહેતા હતા એવું જણાવ્યું છે. ઉપાસક-દશાસ્ત્રમાં પણ ઈદ્રભૂતિ ગૌતમ ભિક્ષા માટે વૈશાલીનાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં જવાની પરવાનગી માગે છે, તે વસ્તુ ઉપરની પરંપરાને મળતી આવે છે, બુદ્ધને વૈશાલી બહુ પ્રિય હતું; અને મહાપરિનિબ્બાનસુરંતમાં જણાવ્યું છે કે, જ્યારે તે પિતાના જીવનમાં છેક છેલ્લી વાર વૈશાલીમાંથી ભિક્ષા લઈને નીકળ્યા, ત્યારે પાછા ફરી ફરીને તે પોતાના પ્રિય શહેર તરફ જેવા લાગ્યા નાપોજિત વેવાચિ મોરોસ્વા], અને અંતે બોલ્યા, “હે આનંદ! ૧. “gણ નિવેસે નાવલિ 'ઉપાસકદશાસૂત્ર ૧. ૬૬. આ આખા ફકરાની દલીલ હેલના ઉપાસકદશાના અંગ્રેજી ભાષાંતર પા. ૫ ઉપરથી ઉતારી છે. ૨, વિપાકસૂત્ર. ૧.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy